અંબાલાપુઝા (કેરળ),
કોઇપણ વ્યક્તિનું હૃદય પરિવર્તન થઇ શકે છે અને એ ભલે પછી ચોર કેમ ન હોય. આ વાત છે કેરળના અંબાલાપુઝાની. પંચાયત વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરે મંગળવારે આ ચોરી થઇ હતી. આખો પરિવાર પોતાના સંબંધીને ત્યાં ગયા હતા અને ખાલી ઘરનો ફાયદો ઉઠાવીને ચોર પાછળના દરવાજાને તોડીને ઘરમાં ઘુસ્યો.
ચોરે કબાટમાંથી ઘરેણાની ચોરી કરી જેમાં એક વીતી, કાનની બાલી અને એક લોકેટ હતું. જયારે પરિવાર પરત ફર્યું પોતાના ઘરે ત્યારે એમણે લાગ્યું કે ઘરમાંથી ચોરી થઇ છે અને તરત જ એમણે પોલીસને જાણ કરી.
પણ આશ્ચર્યજનક વાત એ છે કે ચોરીના 2 દિવસ બાદ ચોરને પોતાની ભૂલનો અહેસાસ થયો અને એને ચોરીનો સામાન પરિવારને પરત કરી દીધો અને સાથે સાથે એક માફીનામું પણ મુક્યું હતું. જેમાં લખ્યું હતું કે , ‘ કૃપા કરીને મને પકડાવતા નહી. મને માફ કરી દો. મારી ખરાબ પરિસ્થિતિને કારણે મેં આ ભૂલ કરી દીધી હતી.’
પોલીસે કહ્યું છે કે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી કારણકે ઘરેણા ચોરે પરત કરી દીધા છે.