Not Set/ છત્તીસગઢમાં કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના, કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષ ઇજાગ્રસ્ત

છત્તીસગઢનાં પ્રદેશ પ્રમુખ મોહન મારકામ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર મુંગેલી પહોંચ્યા હતા. આ દરમિયાન મંચ પર કઇક એવુ બન્યુ કે જેના કારણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને સમ્માનની સાથે મંચ પર બોલવવામાં આવ્યા, જે દરમિયાન ઘણા કાર્યકર્તાઓ પણ મંચ પર આવી ગયા, જેના કારણે મંચ પર દબાવ […]

India
stage broke છત્તીસગઢમાં કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના, કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષ ઇજાગ્રસ્ત

છત્તીસગઢનાં પ્રદેશ પ્રમુખ મોહન મારકામ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર મુંગેલી પહોંચ્યા હતા. આ દરમિયાન મંચ પર કઇક એવુ બન્યુ કે જેના કારણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. સુત્રોનાં જણાવ્યા મુજબ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને સમ્માનની સાથે મંચ પર બોલવવામાં આવ્યા, જે દરમિયાન ઘણા કાર્યકર્તાઓ પણ મંચ પર આવી ગયા, જેના કારણે મંચ પર દબાવ વધતા તે તૂટી ગયો.

આ દુર્ઘટનામાં મોહન મારકામ સહિત અન્ય કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી. જે પછી, મારકામને સારવાર માટે બિલાસપુર છગ ભવનમાં બેસાડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોહન મારકામ મંચ પર આવતાની સાથે જ મંચ પર કાર્યકર્તાઓની ભીડ આવી ગઈ હતી. જેના કારણે સુંવાળા પાટિયાથી બનાવેલો મંચ તૂટી ગયો હતો. ત્યા હાજર લોકોએ કહ્યું કે, આ દરમિયાન ઘણા લોકો મોહન મારકામની ઉપર પડ્યા હતા.

લોકોએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મારકામ સહિત અનેક કાર્યકર્તાઓનાં માથા અને હાથ-પગમાં ઈજા પહોંચી છે. જે બાદ મારકામને સારવાર માટે બિલાસપુર લાવવામાં આવ્યા છે, તેમને છગ ભવનમાં રાખવામાં આવ્યા છે. જે પછી તે ટ્રેન દ્વારા રાયપુર જવા રવાના થશે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના વધુ પડતા ઉત્સાહનાં કારણે થઇ હતી. જ્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મારકામ મંચ પર આવ્યા ત્યારે કાર્યકર્તાઓનું ટોળુ તેમની સાથે ઉભા રહેવા આવી ગયુ અને અચાનક મંચ પર વધી ગયેલા વજનનાં કારણે મંચ તૂટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.