નવસારી,
કેવડીયા પંથકમાં આદિવાસીઓમાં થઇ રહેલા વિરોધ યથાવત રહ્યો છે. ત્યારે નવસારી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધ બંધની અસર વર્તાઇ હતી. ચીખલી ખાતે બિટીએસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો.
જેને લઇને આલીપોર દેગામ રોડ ઉપર પોલીસ અને બિટીએસ કાર્યકરો સામસામે આવી ગયા હતા. 300 થી વધુ કાર્યકરોએ રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ભાજપ કાર્યકરોએ આદિવાસી યુવક પાસે જય સરદારના નારા બોલાવ્યા હતા.