એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) એ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાની એક્સ મેનેજર રાહિલા ફર્નિચરવાલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં રાહિલાની બહેન શાઈસ્તા અને બે બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થાય છે. એનસીબી પાસેથી દરેકને ગાંજો મળી આવ્યો છે.
ડીએનએના અહેવાલો અનુસાર, રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેન શાઈસ્તાની પાસેથી ગાંજો મળી આવ્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે એનસીબીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે એનસીબી કાર્યવાહીમાં બાંદ્રા વેસ્ટના કુરિયરમાંથી આ ગાંજો ઝડપાયો હતો. આ ઉપરાંત જસવંત હાઇટ્સ ખારમાં રહેતા કરણ સજનાની (બ્રિટીશ નાગરિક) ના ઘરેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે.
આ પછી માહિતીના આધારે એનસીબી રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેન શાઈસ્તાના ઘરે પહોંચી હતી જ્યાંથી ગાંજો મળી આવ્યો હતો. આ રીતે પકડાયેલો ગાંજોનો જથ્થો આશરે 200 કિલો છે.
આપને જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ પછી, એનસીબી ડ્રગ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને અન્ય સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી છે. આ સિવાય અર્જુન રામપાલ, કરણ જોહર, હાસ્ય કલાકાર ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયાના નામ પણ આ કેસમાં સામે આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…