અમદાવાદ,
અમદાવાદ સહીત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો કહેર વધી રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ ૧૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા રહયા છે ત્યારે અત્યાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ માસમાં 33 દર્દીઓ એ સ્વાઈન ફ્લૂની સારવાર લીધી હતી.
જેમાં 15 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેમજ છેલ્લા એક જ સાપ્તાહમાં 3 દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે.
ત્યારે સ્વાઈન ફ્લૂને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત છે તેમજ હાલ સ્વાઈન ફલૂ ના વધતા જતા આંકડાઓને લાઈનેં સરકારે પણ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપેલ છે