તાજેતરમાં ઝડપાયેલા ISIS ના આતંકીઓને લઇને રાજકારણ ગરમાયું છે. CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુંકે ઝડપાયેલા 2 આતંકીઓમાં એક આતંકી ભરૂચની હોસ્પિટલમાં નોકરી કરતો હતો, આ હોસ્પિટલમાં અહેમદ પટેલ ટ્રસ્ટી રહી ચુક્યા હતા. આ મામલે CM રુપાણીએ અહેમદ પટેલના રાજીનામાંની માગ કરી છે, અને ખુલાસો માંગ્યો છે.
જયારે સામે પક્ષે કોંગ્રેસે પ્રતિક્રિયામાં કહ્યુંકે ભાજપને ચૂંટણી સમયે જ આતંકવાદીઓ દેખાય છે, ભાજપ સામ, દામ, દંડ, ભેદ થી ચુંટણી લડવા માંગે છે. સુરજેવાલાએ પ્રેસ કરીને જણાવ્યુકે ભાજપ દેશની સુરક્ષા માટે ખતરો છે, આ ઉપરાંત કહ્યુકે અહેમદ પટેલ તથા તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ હાલ હોસ્પિટલ સાથે જોડાયેલો નથી.