ભુવનેશ્વર/ પુરીના જગન્નાથ મંદિરમાં પ્રવેશ્યા 9 બાંગ્લાદેશીઓ, પોલીસ દ્વારા અટકાયત; કરવામાં આવી રહી છે પૂછપરછ

ઓડિશા પોલીસે આ કેસમાં 9 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લીધા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી છે.

Top Stories India Breaking News

ઓડિશા સ્થિત પુરીના જગન્નાથ મંદિરમાંથી 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો પર મંદિરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવાનો આરોપ છે. ઓડિશા પોલીસે આ કેસમાં 9 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લીધા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે અટકાયત કરાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

VHPએ કરી ફરિયાદ

પોલીસ અધિકારીએ કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકર્તાઓએ ફરિયાદ કરી હતી કે 12મી સદીના મંદિરમાં ઘણા બિન-હિંદુ બાંગ્લાદેશીઓ પ્રવેશ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકો મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પછી સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રવિવારે સાંજે 09 બાંગ્લાદેશીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

9 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે

પુરીના અધિક પોલીસ અધિક્ષક સુશીલ મિશ્રાએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમે પ્રવાસીઓને પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. અધિક પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, “અમને ફરિયાદ મળી છે કે બાંગ્લાદેશથી કેટલાક બિન-હિન્દુ લોકો મંદિરમાં પ્રવેશ્યા હતા. અમે 09 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે.

નિયમો વિરૂદ્ધ દાખલ થયો હતો

જણાવી દઈએ કે મંદિરના નિયમો અનુસાર મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. અધિક પોલીસ અધિક્ષક સુશીલ મિશ્રાએ કહ્યું કે જો તેઓ બિન-હિંદુ હોવાનું જણાશે તો તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. “અમે તેમના પાસપોર્ટની તપાસ કરી રહ્યા છીએ જેમાં જાણવા મળ્યું છે કે તેમાંથી એક હિંદુ છે,” અમે અન્ય લોકોના પાસપોર્ટ તપાસી રહ્યા છીએ. “પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયત કરાયેલ નવ લોકોમાંથી ચાર મંદિરમાં પ્રવેશ્યા છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ