રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં નાણાંકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકનાં પરિણામો બહાર આવ્યા છે. શક્તિકાંત દાસે કહ્યું કે, રિઝર્વ બેંકે વ્યાજનાં દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એમપીસીએ વ્યાજનાં દરો પર એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ વધતી મોંઘવારીનાં કારણે નીતિ દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
RBI maintains status quo on interest rates
Read @ANI Story | https://t.co/7eq1dbFNKt pic.twitter.com/ysZAzmRjOv
— ANI Digital (@ani_digital) June 4, 2021
વિવાદ / Google એ કન્નડને ગણાવી ભારતની સૌથી ભદ્દી ભાષા, વિવાદ પછી કંપનીએ કરવું પડ્યું આ કામ
આરબીઆઈની નાણાંકીય નીતિ સમિતિની બેઠક 2 જૂનથી શરૂ થઈ હતી. સમિતિ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વિશે નિર્ણય લેતી હોય છે. મોટાભાગનાં નિષ્ણાતો માને છે કે નાણાંકીય નીતિમાં આ વખતે સેન્ટ્રલ બેંક રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. તેને 4 ટકાનો ટકાવી રાખવામાં આવશે, જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા રહેશે. શક્તિકાંત દાસે કહ્યું કે સારા મોનસૂનનાં કારણે અર્થવ્યવસ્થા પાટા પર ફરી શકે છે. તેમણે કહ્યું કે ગ્રોથને પાછા લાવવા માટે નીતિ સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વર્તમાન વાતાવરણમાં, તમામ બાબતોમાં નીતિ સહાયક જરૂરી છે. શક્તિકાંત દાસ કહે છે કે નાણાકીય વર્ષ 2021 માં વાસ્તવિક જીડીપી -7.3 ટકા અને એપ્રિલમાં મોંધવારીનો દર 4.3 ટકા રહ્યો છે. આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસ કહે છે કે, વૈશ્વિક વેપારમાં સુધારાથી નિકાસમાં વધારો થશે અને કોરોના રસીકરણથી અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવશે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022 નાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં જીડીપી વૃદ્ધિનાં અંદાજને 26.2 ટકાથી ઘટાડીને 18.5 ટકા કરી દીધો છે. જીડીપી ગ્રોથ બીજા ક્વાર્ટરમાં 7.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 7.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.6 ટકા હોવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2022 માં, વાસ્તવિક જીડીપીનો અંદાજ 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરવામાં આવ્યો છે.
RBI cuts FY22 GDP forecast to 9.5 pc
Read @ANI Story | https://t.co/6dLU2ykZ4L pic.twitter.com/6oUuL62nQC
— ANI Digital (@ani_digital) June 4, 2021
ત્રીજી લહેરની દસ્તક..! / બે રાજ્યોમાં 90 હજાર બાળકો કોરોનાથી પ્રભાવિત, સમગ્ર દેશમાં કેટલા ? : સર્વેના ચોંકાવનારા આંકડાઓ
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022 માં મોંઘવારીનો દર 5.1 ટકા હોવાનો અંદાજ લગાવ્યો છે. શક્તિકાંત દાસ કહે છે કે, નાણાકીય વર્ષ 2022 નાં પ્રથમ ક્વાર્ટરમાં મોંઘવારીનો દર 5.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 5.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.7 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.3 ટકા હોઈ શકે છે. નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક બુધવારે શરૂ થઈ હતી. નિષ્ણાતોએ પહેલેથી જ આગાહી કરી હતી કે એમપીસી નીતિ દરને સ્થિર રાખવાનો નિર્ણય કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરને કારણે થતી અનિશ્ચિતતાને કારણે લેવામાં આવી શકે છે. વિશ્લેષકોએ વર્તમાન સમયમાં મોંંઘવારીમાં વધુ વધારાનાં ડરને કારણે વ્યાજનાં દરમાં કોઈ ફેરફારની અપેક્ષા ઓછી હોવાનો અંદાજ લગાવ્યો હતો.

