દેશભરમાં હાલમાં કોરોના વાઈરસની બીજી ખતરનાક લહેર ચાલી રહી છે. દેશના મોટા ભાગના રાજ્યો હાલમાં તેનાથી પરેશાન છે. વધતા કેસની સાથે તમામ રાજ્યોમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. દરેક રાજ્યો કોરોના સામે લડવા માટે પુરતા પ્રસ્યાસ હાથ ધર્યા છે. ત્યારે કોરોના કેસોમાં ઉછાળાને કારણે, મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લા વહીવટીતંત્રે નિર્ણય લીધો છે કે 30 એપ્રિલ સુધી અહીં કોઈ લગ્નને મંજૂરી આપવામાં આવશે નહીં. ડીએમ મનીષસિંહે કહ્યું છે કે કોરોના ચેપનું પ્રમાણ વધવાના વધુ જોખમને કારણે 30 એપ્રિલ સુધી તમામ લગ્ન રદ કરવામાં આવશે.
તેમણે લોકોને લગ્નની તારીખ લંબાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, “તેનાથી અમને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે. જે હવે સંપૂર્ણ રીતે ભરાઈ ચુક્યા છે. “
તેમણે એમ પણ કહ્યું હતું કે આ વિસ્તારમાં રેમડેસિવિરનું બ્લેક માર્કેટિંગ થયાની જાણ થઈ છે. ડીએમ મનીષસિંહે કહ્યું કે, ‘ગઈકાલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે એનએસએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પછી તે હોસ્પિટલ હોય કે દુકાનદાર, જો કોઈ બ્લેક માર્કેટિંગમાં સામેલ હોવાનું જણાય છે, તો તેના પર એનએસએ લાદવામાં આવશે.
ચાલો તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ વધુ કથળી રહી છે. રાજ્યની હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજન અને પલંગની માંગ સતત વધી રહી છે.