બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત એરફોર્સ સ્ટેશન યેલહંકાની 10 કિમીની ત્રિજ્યામાં આવેલી તમામ માંસ/મરઘા/માછલી વેચતી દુકાનો અને કતલખાનાઓને 20 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડી શકે છે.
નિયમોના ભંગ બદલ કરવામાં આવશે કાર્યવાહી
જો કે, સ્ટેશન એરોસ્પેસ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન ઓફિસરના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન માંસાહારી ખોરાક (Non-Veg) ના વપરાશની મંજૂરી આપી શકાય છે. જો કોઈ 10 કિમીની ત્રિજ્યામાં માંસાહારી વાનગીઓના વેચાણ / પીરસવા પર પ્રતિબંધ મૂકતા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તે BBMP એક્ટ-2020 અને ભારતીય એરક્રાફ્ટ નિયમો 1937 ના નિયમ 91 હેઠળ સજાને પાત્ર બનશે.
એરો ઈન્ડિયા – 2023 પહેલા માંસ/ચિકનની દુકાનો બંધ કરવા અંગે વધારાની સ્પષ્ટતા
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
BBMP અધિકારીઓના જણાવ્યા અનુસાર, આટલો મોટો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે માંસાહારી ખોરાકને કારણે પક્ષીઓ જાહેર સ્થળોએ ભેગા થાય છે અને આ પક્ષીઓ માંસના ટુકડા લઈને હવામાં ઉડે છે અને ગમે ત્યાં ફેંકી દે છે. જ્યારે તેઓ માંસના ટુકડા સાથે હવામાં ચક્કર લગાવે છે, ત્યારે જો તેઓ તેમની સાથે અથડાય તો અકસ્માતની શક્યતા વધી જાય છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:પીએમ મોદી આજે ‘જયપુર મહાખેલ’ના સહભાગીઓને કરશે સંબોધિત
આ પણ વાંચો:અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું ‘જાસૂસી’ બલૂન, 3 એરપોર્ટ રાખ્યા હતા બંધ, ચીને કર્યો જોરદાર વિરોધ