Not Set/ હવે યુપીમાં નેતાઓનું હ્રદય પરિવર્તન થવાની તૈયારી, BSP નાં ધારાસભ્યોએ અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત

દેશમાં 2022 માં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, જેને લઇને રાજકીય પક્ષો હવે એલર્ટ મોડમાં આવી ગયા છે.

Top Stories India

દેશમાં 2022 માં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, જેને લઇને રાજકીય પક્ષો હવે એલર્ટ મોડમાં આવી ગયા છે. પવનની ગતિ કઇ દિશામાં છે તે મુજબ હવે નેતાઓ હ્રદય પરિવર્તન કરવાની તૈયારી કરી રહ્યા હોવાનુ પણ ધ્યાનમાં આવી રહ્યુ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં BSP નાં ઘણા ધારાસભ્ય સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા હતા, જે બાદ ઘણી અટકળો શરૂ થઇ ગઇ છે.

ગરમાયુ રાજકારણ / કેજરીવાલે કોંગ્રેસનાં MLA અંબરીશ ડેરનો કર્યો સંપર્ક, ઘણા તર્ક વિતર્કો શરૂ

ઉત્તરપ્રદેશનાં રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવે તેવી ઘટના સામે આવી રહી છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે બળવાખોર બસપાનાં તમામ ધારાસભ્યોને મળ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ પર કલાકો સુધી ચર્ચા કરી હતી. જો સૂત્રોની વાત માનીએ તો સપા બળવાખોર ધારાસભ્યોને સતત માન આપવામાં કોઈ કસર છોડશે નહીં અને બહુ જલ્દીથી સપાનાં સુપ્રીમો અખિલેશ યાદવ આગામી તમામ બળવાખોર ધારાસભ્યોને તેમની પાર્ટીમાં સમાવીને આગામી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. અખિલેશ યાદવે અગાઉ રાજ્યસભાની ચૂંટણી માટે બસપાની છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમ્યાન બસપાનાં 7 ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઠવામાં આવ્યા હતા અને તાજેતરમાં બસપાએ તેના વરિષ્ઠ ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઠ્યા છે.

રાજકારણ / પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ

હાલમાં યુપીનું રાજકારણ ગરમાયુ છે. બસપા સંપૂર્ણ ભંગાણની ધાર પર છે અને એવી પણ ચર્ચા છે કે બહુ જલ્દીથી તમામ બળવાખોર ધારાસભ્યો સપામાં જોડાશે અને સમાજવાદી પાર્ટીનાં બેનર હેઠળ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. વળી સપા સુપ્રીમો અખિલેશ યાદવ કહે છે કે, તમામ બળવાખોર ધારાસભ્યોનાં આગમન સાથે સમાજવાદી પાર્ટીને ઘણી શક્તિ મળશે અને તમામનાં સહયોગથી અમે મિશન 2022 ફતેહ કરીશું. ત્યારે જઇને સમાજવાદી પાર્ટીની સરકાર બનશે.

આ નેતાઓએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે.

અસલમ રાઇની (ધારાસભ્ય, ભિનગા-શ્રાવસ્તી), મુજતબા સિદ્દીકી (ધારાસભ્ય પ્રતાપપુર-અલ્હાબાદ), હકીમ લાલ બિંદ (ધારાસભ્ય હાંડિયા-પ્રયાગરાજ), હરગોવિંદ ભાર્ગવ (ધારાસભ્ય સિધૌલી-સીતાપુર), અસલમ અલી ચૌધરી (ધારાસભ્ય, ઢોલાણા-હાપુર), સુષમા પટેલ (ધારાસભ્ય, મુંગરા બાદશાહપુર).

બસપાનાં બળવાખોર ધારાસભ્યો સપામાં જોડાશે તે અંગે હજી શંકા છે. ડિફેક્શન કાયદો એ તેમના માર્ગમાં અવરોધ છે. તે એસપી વિધાનસભા પાર્ટી બોર્ડમાં પણ જોડાઈ શકતા નથી. આ માટે પહેલા વિધાનસભા અધ્યક્ષને પત્ર સુપરત કરવો પડશે. આવી સ્થિતિમાં સપાનાં વ્યૂહરચનાકારો ઇચ્છે છે કે વિધાન પરિષદની ચૂંટણીઓ પહેલા કોઈ પણ પ્રકારનો અવરોધ ઉભો ન થાય. સંભવ છે કે વિધાન પરિષદ ચૂંટણી પછી જ આગળનું પગલું વધારશે.