ayodhya ram mandir/ આતંકવાદી હુમલાની શંકા અને સુરક્ષાને લઈને રામમંદિર પાસે NSG હબ

NSGનું દેશમાં આ છઠ્ઠુ હબ બની રહ્યું છે

Top Stories India
Beginners guide to 54 આતંકવાદી હુમલાની શંકા અને સુરક્ષાને લઈને રામમંદિર પાસે NSG હબ

New Delhi News : રામ મંદિરની સુરક્ષા માટે અયોધ્યામાં હવે UPSTF અને ATSનાં યુનિટો બાદ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નું હબ બનાવવામાં આવશે. દેશમાં NSGનું આ છઠ્ઠું હબ હશે. હાલમાં NSG ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને અમદાવાદમાં પ્રાદેશિક હબ ધરાવે છે.

અયોધ્યામાં શ્રદ્ધાળુઓની વધતી સંખ્યા અને આતંકવાદી હુમલાની શંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે. ગૃહ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે NSG હબ રામમંદિરની નજીક હશે. આ અંગે ભાસ્કરે SSP રાજકરણ ઐયર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ લેખિત માહિતી મળી નથી.

હાલમાં દરરોજ દોઠ લાખ શ્રધ્ધાળુઓ રામ મંદિરની મુલાકાત લે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિર પર આતંકી હુમલાને લઈને વારંવાર ધમકીઓ મળી રહી છે. આવી સ્થિતિમાં મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. શ્રી રામ જન્મભૂમિ સંકુલ અને મંદિરની સુરક્ષાની જવાબદારી SSFના હાથમાં છે. મંદિરની સુરક્ષા માટે 200 જવાનો તૈનાત છે. યુપી સરકારે તાજેતરમાં પીએસી અને પોલીસ કર્મચારીઓને મર્જ કરીને એસએસએફની રચના કરી છે.

સૌથી પહેલા એક આઈડી પરથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી. ત્યારબાદ 112 પર કોલ આવ્યો. રામમંદિરને ઉડાવી દેવાની ધમકી મળતાં જ પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. સાયબર એક્સપર્ટ અને સર્વેલન્સ ટીમ તરત જ સક્રિય થઈ ગઈ.

અફરાતફરી ન ફેલાય તે માટે પોલીસે અંદરખાને તપાસ કરી હતી. તપાસ દરમિયાન લોકેશન કુશીનગર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ધમકી આપનાર પટહેરવા પોલીસ સ્ટેશનના બલુઆ તકિયા વિસ્તારના રહેવાસી 16 વર્ષીય યુવકની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સગીર માનસિક રીતે સ્વસ્થ નથી.

રામમંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 9 મહિના પહેલાં બરેલીથી આપવામાં આવી હતી. આ ધમકી બરેલીથી લખનઉ કંટ્રોલ રૂમમાં 112 નંબર પર કોલ કરીને આપવામાં આવી હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે બરેલીના 8મા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી હતી. તેની ઉંમર 14 વર્ષની હતી. તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીએ યુટ્યૂબ પર એક વીડિયો જોયા બાદ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે