નવી કંપનીઓમાં નોકરી બદલવાના કારણે કર્મચારીઓને બેંકમાં એક કરતા વાધારે ખાતા હોઇ શકે છે. ખરેખર જુદી જુદી કંપનીઓ સાથે બેંકોનું ટાઇઅપ છે. મોટાભાગના પગાર ખાતા શૂન્ય બેલેન્સ સેવિંગ્સ એકાઉન્ટ્સ હોય છે, તેથી જ્યારે બેલેન્સ શૂન્ય થઈ જાય, ત્યારે તેઓ કોઈ ફી લેતા નથી. જો કે, જ્યારે તમે નોકરી બદલો છો અને તમને નવા ખાતામાં પગાર મળવાનું શરૂ થાય છે ત્યારે મુશ્કેલી શરૂ થાય છે.
પગાર ખાતું બચત ખાતામાં પરિવર્તિત થઈ જશે, જ્યારે તમને નવા ખાતામાં પગાર મળવાનું શરૂ થશે, ત્યારે જૂનું ખાતું બચત ખાતામાં ફેરવાશે. આનો અર્થ એ થશે કે ન્યૂનતમ બેલેન્સ નહીં રાખવા બદલ તમને દંડ કરવામાં આવશે. ન્યૂનતમ બેલેન્સની રકમ જુદી જુદી બેંકોમાં બદલાઈ શકે છે.
આરબીઆઈનો નિયમ
આરબીઆઈના નિયમો અનુસાર, જો કોઈ એકાઉન્ટ ધારક સતત 12 મહિનાથી વધુ બેંક ખાતામાં લેવડદેવડ ન કરે, તો બેંક તેને બિનઅસરકારક અથવા નિષ્ક્રિય એકાઉન્ટ તરીકે વર્ણવે છે. વધુ સમય સુધી ટ્રાંઝેક્શન નોંધાયું નથી, તો તે નિષ્ક્રિય ખાતું બની જાય છે.
ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ફોન બેંકિંગ, ઓફલાઇન બેંકિંગ, થર્ડ-પાર્ટી ટ્રાન્સફર દ્વારા ટ્રાન્ઝેક્શન, એકાઉન્ટ ધારક દ્વારા શરૂ કરાયેલી એફડીમાંથી વ્યાજનું ક્રેડિટ રાખે છે, તે બેંક ખાતુંને સક્રિય રાખે છે. પછી, જૂનું એકાઉન્ટ બંધ કરવું ફરજિયાત થઈ જાય છે, કારણ કે તેમા ઓછામાં ઓછું બેલેન્સ ન હોવા છતા મહિનાની ફી લેવામાં આવે છે.
જો ખાતું ખોલવાના 14 દિવસની અંદર બંધ કરવામાં આવે છે, તો કોઈ ફી લેવામાં આવતી નથી. એ જ રીતે, ખાતું ખોલવાના એક વર્ષ પછી ખાતું બંધ થાય ત્યારે ખાતાધારકો કોઈપણ શુલ્ક ટાળી શકે છે.
બેંક ખાતું બંધ કરવા પર શા માટે વસૂલવામાં આવે છે ચાર્જ
ચેકબુક, ડેબિટ કાર્ડ અને કેવાયસી ખર્ચ માટે ચાર્જ લેવામાં આવે છે. બેંકો મૃતક વ્યક્તિનું ખાતું બંધ કરવા 500 રૂપિયા અને જીએસટી લેતી હતી, જે હવે વધારે વસૂલવામાં આવતો નથી.