કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીન મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો છે કે, કેન્દ્ર સરકાર કેમ આપણા જવાનોનાં બલિદાનનું અપમાન કરી રહી છે અને તેમને તેમની જમીનનાં કબજાને જવા દઇ રહી છે. ચાઇનાની વર્તમાન પરિસ્થિતિ વિશે રાજ્યસભામાં નિવેદન પછી તુરંત બાદ રાહુલ ગાંધીનો જવાબ સામે આવ્યો છે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા એલએસીની વર્તમાન સ્થિતિની તુલના વર્તમાન અશાંતિ સાથે કરી છે. રાહુલ ગાંધીએ આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાજ્યસભામાં ચીન સરહદ વિવાદ અંગે કહ્યું હતું કે અમે અમારી જમીનનો એક ઇંચ પણ નથી આપી રહ્યા. અમે પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં કરાર તરફ પહોંચી ગયા છીએ. રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ભારત અને ચીન પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ નદીઓમાં અલગ થવા સંમત થયા છે, જે બંને પક્ષોને તબક્કાવાર, સમન્વિત અને ચકાસી શકાય તે રીતે સૈન્ય તૈનાત અટકાવવા દબાણ કરે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણીવાર મોદી સરકાર પર અલગ-અલગ મુદ્દે સવાલો કરતા રહ્યા છે. તાજેતરની વાત કરીએ તો તેમણે એકવાર ફરી મોદી સરકાર પર ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ અંગે ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે, “હાલની પરિસ્થિતિની કોઈ માહિતી નથી, ન તો શાંતિ અને ન તો શાંતિપૂર્ણ વાતાવરણ. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, સરકાર આપણા બહાદુર સૈનિકોનાં બલિદાનનું અપમાન કેમ કરી રહી છે અને આપણી ભૂમિ કેમ જવા દઈ રહી છે?”
Court / કોર્ટમાં ખોટું એફિડેવિટ કરવા મામલે સલમાન ખાનને મળી મોટી રાહત
Election / ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરશે AAP : આ 9 મુદ્દાઓનો મેનિફેસ્ટો જાહેર
Political / પ. બંગાળમાં અમિત શાહની હુંકાર, કહ્યું – મમતા પણ બોલશે ‘જય શ્રી રામ’, 5 વર્ષમાં અમે બનાવીશું..
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…