Good Will Day: આજે સદભાવના દિવસ (Good Will Day) છે. સદભાવના દિવસ પર રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની 79મી જન્મજયંતિ છે. રાજીવ ગાંધીની જન્મજ્યંતિ (Birth Anniversery)ની યાદમાં દેશમાં દર વર્ષે સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1992 માં, રાજીવ ગાંધીના મૃત્યુના એક વર્ષ પછી, કોંગ્રેસે રાજીવ ગાંધીની યાદમાં 20 ઓગસ્ટની સદભાવના દિવસ (ગુડ વિલ ડે)ની ઉજવણી જાહેરાત કરી હતી. રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા અને તેના પછી માંડ સાત વર્ષ જીવ્યા. જો તેઓ લાંબું જીવ્યા હોત તો તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતાં પણ વધુ સફળ વડા પ્રધાન બન્યા હોત તેવું લોકોનું માનવું છે.

આજે સદભાવના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, શ્રી જયરામ રમેશ અને કે.સી વેણુગોપાલ સહિતના નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
પીએમ મોદી
Tributes to our former Prime Minister Shri Rajiv Gandhi Ji on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) August 20, 2024
મલ્લિકાર્જુન ખડગે: આજે દેશ ગુડવિલ ડે મનાવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ભારતના મહાન સપૂત હતા. તેમણે કરોડો ભારતીયોમાં આશાનું કિરણ જગાવ્યું અને તેમના અભૂતપૂર્વ યોગદાનથી ભારતને 21મી સદીમાં લઈ ગયા.
आज देश सद्भावना दिवस मना रहा है। पूर्व प्रधानमंत्री, राजीव गाँधी, भारत के महान सपूत थे। उन्होंने करोड़ों भारतीयों में आशा की किरण जगाई और अपने अभूतपूर्व योगदान से भारत को 21वीं सदी में पहुँचा दिया।
मतदान की आयु घटाकर 18 वर्ष करना, पंचायती राज को मजबूत करना, दूरसंचार और आईटी… pic.twitter.com/12nzfkSV9v
— Mallikarjun Kharge (@kharge) August 20, 2024
કે.સી. વેણુગોપાલ
I pay my heartfelt tributes to our former Prime Minister, Bharat Ratna Sh. Rajiv Gandhi ji. Snatched away from us too soon, he was a visionary whose reforms prepared India for the 21st century.
In a single tenure, he set an example for how India should be governed across… pic.twitter.com/m3tdlK4IIA
— K C Venugopal (@kcvenugopalmp) August 20, 2024
શ્રી જયરામ રમેશ
Today is Rajiv Gandhi@80.
His was a short but very consequential political life.
The March 1985 Budget in which he played a key role heralded a new approach to economic policy. The manifesto for the 1991 Lok Sabha elections, on which he spent long hours a few weeks before his… pic.twitter.com/yHu97ZagSs
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 20, 2024
રાજીવ ગાંધીનો પરિચય
રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેઓ 40 વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ તેમના દાદા હતા. તેમની માતા ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1984-89 સુધી વડાપ્રધાન રહ્યા.

રાજીવ ગાંધી 1984 થી 1989 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેઓ દેશના આધુનિકીકરણ અને સામાજિક ન્યાયની ચિંતાઓનો સામનો કરવાના તેમના પ્રયત્નો માટે પ્રખ્યાત છે. તેમના વહીવટ હેઠળ શાંતિ, શિક્ષણ અને ટેક્નોલોજી સુધારવા માટેની પહેલો અમલમાં મૂકવામાં આવી હતી. રાજીવ ગાંધીએ ઘણા અવરોધો પાર કર્યા, પરંતુ સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપવાના તેમના સમર્પણની લાંબા ગાળાની અસર રહી. સદભાવના દિવસની સ્થાપના તેમની દ્રષ્ટિને માન આપવા અને લોકોને તેમના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરણા આપવા માટે કરવામાં આવી હતી.
વાસ્તવમાં, રાજીવ ગાંધી ઓગસ્ટ, 1981માં સંસદના સભ્ય બન્યા હતા પરંતુ તેમણે આ માળખાના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એશિયન ગેમ્સ દરમિયાન કલર ટેલિવિઝન પણ ભારતમાં આવ્યું અને રાજીવ ગાંધીના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીવી ઝડપથી ફેલાયું. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન 1986 માં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) ની સ્થાપના કરવામાં આવી હતી, રેલ્વે આરક્ષણ કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યું હતું અને મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી હતી. તેમણે 1985 માં પક્ષપલટા વિરોધી અધિનિયમને આગળ ધપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 3 તબક્કામાં થશે મતદાન,4 ઓક્ટોબરે પરિણામ
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે કાઢી EDની ઝાટકણી, CBI કરતાં નથી મોટી એજન્સી
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ઓગસ્ટના અંતમાં થશે જાહેર
