Good Will Day/ સદભાવના દિવસ પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

આજે સદભાવના દિવસ છે. સદભાવના દિવસ પર રાહુલ ગાંધીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ છે.

Top Stories India Breaking News

Good Will Day: આજે સદભાવના દિવસ (Good Will Day) છે. સદભાવના દિવસ પર રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)ની 79મી જન્મજયંતિ છે. રાજીવ ગાંધીની જન્મજ્યંતિ (Birth Anniversery)ની યાદમાં દેશમાં દર વર્ષે સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1992 માં, રાજીવ ગાંધીના મૃત્યુના એક વર્ષ પછી, કોંગ્રેસે રાજીવ ગાંધીની યાદમાં 20 ઓગસ્ટની સદભાવના દિવસ (ગુડ વિલ ડે)ની ઉજવણી જાહેરાત કરી હતી. રાજીવ ગાંધી 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા અને તેના પછી માંડ સાત વર્ષ જીવ્યા. જો તેઓ લાંબું જીવ્યા હોત તો તેઓ તેમના પ્રથમ કાર્યકાળ કરતાં પણ વધુ સફળ વડા પ્રધાન બન્યા હોત તેવું લોકોનું માનવું છે.

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજે 75મી જન્મ જયંતી | rajiv gandhi birth anniversary country youngest prime minitser - Gujarat Samachar

આજે સદભાવના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, શ્રી જયરામ રમેશ અને કે.સી વેણુગોપાલ સહિતના નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

પીએમ મોદી

મલ્લિકાર્જુન ખડગે: આજે દેશ ગુડવિલ ડે મનાવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ભારતના મહાન સપૂત હતા. તેમણે કરોડો ભારતીયોમાં આશાનું કિરણ જગાવ્યું અને તેમના અભૂતપૂર્વ યોગદાનથી ભારતને 21મી સદીમાં લઈ ગયા.

કે.સી. વેણુગોપાલ

શ્રી જયરામ રમેશ

રાજીવ ગાંધીનો પરિચય

રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન હતા. તેઓ 40 વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ તેમના દાદા હતા. તેમની માતા ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1984-89 સુધી વડાપ્રધાન રહ્યા.

Remembering Rajiv Gandhi: The politician with a difference

રાજીવ ગાંધી 1984 થી 1989 સુધી ભારતના વડાપ્રધાન હતા. તેઓ દેશના આધુનિકીકરણ અને સામાજિક ન્યાયની ચિંતાઓનો સામનો કરવાના તેમના પ્રયત્નો માટે પ્રખ્યાત છે. તેમના વહીવટ હેઠળ શાંતિ, શિક્ષણ અને ટેક્નોલોજી સુધારવા માટેની પહેલો અમલમાં મૂકવામાં આવી હતી. રાજીવ ગાંધીએ ઘણા અવરોધો પાર કર્યા, પરંતુ સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપવાના તેમના સમર્પણની લાંબા ગાળાની અસર રહી. સદભાવના દિવસની સ્થાપના તેમની દ્રષ્ટિને માન આપવા અને લોકોને તેમના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રેરણા આપવા માટે કરવામાં આવી હતી.

વાસ્તવમાં, રાજીવ ગાંધી ઓગસ્ટ, 1981માં સંસદના સભ્ય બન્યા હતા પરંતુ તેમણે આ માળખાના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. એશિયન ગેમ્સ દરમિયાન કલર ટેલિવિઝન પણ ભારતમાં આવ્યું અને રાજીવ ગાંધીના પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીવી ઝડપથી ફેલાયું. તેઓ  તેમના કાર્યકાળ દરમિયાન 1986 માં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) ની સ્થાપના કરવામાં આવી હતી, રેલ્વે આરક્ષણ કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યું હતું અને મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 કરવામાં આવી હતી. તેમણે 1985 માં પક્ષપલટા વિરોધી અધિનિયમને આગળ ધપાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 3 તબક્કામાં થશે મતદાન,4 ઓક્ટોબરે પરિણામ

 આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે કાઢી EDની ઝાટકણી, CBI કરતાં નથી મોટી એજન્સી

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ઓગસ્ટના અંતમાં થશે જાહેર