બદલી/ ગુજરાતના 50 IAS અધિકારીઓની સામૂહિક બદલીના અપાયા આદેશ,ગાંધીનગર કલેકટરની પણ કરાઇ બદલી

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે

Top Stories Gujarat
9 10 ગુજરાતના 50 IAS અધિકારીઓની સામૂહિક બદલીના અપાયા આદેશ,ગાંધીનગર કલેકટરની પણ કરાઇ બદલી

રાજ્યના 50 IAS અધિકારીઓની સામૂહિક બદલી
જિલ્લા કલેકટરો સાથે જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી
ગાંધીનગર જિલ્લા કલેકટર એચ.કે. કોયાની કરાઈ બદલી
ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે એમ.કે. દવેની નિમણૂક
પ્રવાસન વિભાગના MD ડૉ. સૌરવ પારધીની પણ થઈ બદલી
ગાંધીનગર DDO સુરભી ગૌતમની ICDSમાં કરાઈ બદલી
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા આદેશ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે,ત્યારે રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે,રાજ્યના 50 આઇએએસ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા કલેકટર એચ.કે.કોયાની કરાઇ બદલી, નવા કલેકટર તરીકે એમ.કે દવેની નિમણૂક કરવામાં આવી છે. આ ઉફરાંત પ્રવાસન વિભાગના એમડી ડો. સૌરવ પારધીની પણ બદલી કરી દેવામાં આવી છે. આ સાથે ગાંધીનગરના ડીડીઓ સુરભી ગૌતમની આઇસીડીસીમાં બદલી કરાઇ.બદલીના આદેશ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.