કોરોનાની બીજી લહેર દેશના તમામ રાજ્યો ઉપર આફત બનીને આવી છે. દેશના તમામ રાજ્યો આજે કોરોના સામે નિસહાય થઇ લડી રહ્યા છે. ટેસ્ટીંગ કીટ, દવા, ઇન્જેક્શન અને ઓક્સીજન ની ભારે અછતનો મોટાભાગના રાજ્યો સામનો કરી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે કોરોનાની અનિયંત્રિત ગતિને કારણે દિલ્હીમાં ઓક્સિજનનું ગંભીર સંકટ છે. હું ફરીથી કેન્દ્રને તાકીદ કરું છું કે દિલ્હીને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવે. તેમણે કહ્યું કે ઘણી હોસ્પિટલોમાં ફક્ત થોડા કલાકોનો ઓક્સિજન બાકી છે. તેમણે કહ્યું કે હું દિલ્હી સરકારને ઓક્સિજન આપવા માટે કેન્દ્ર સરકારને હાથ જોડી વિનંતી કરું છું.
એક ટ્વીટમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, “દિલ્હીની મોટાભાગની હોસ્પિટલોમાં આગામી 8 થી 12 કલાક સુધી ચાલે એટલો જ ઓક્સિજન બાકી છે.” અમે દિલ્હીના ઓક્સિજન સપ્લાય ક્વોટામાં વધારો કરવા માટે એક અઠવાડિયાથી માંગ કરી રહ્યા છીએ, જે કેન્દ્ર સરકારે કરવાનું છે. આવતીકાલે સવાર સુધીમાં જો હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહિ મળે તો હાહાકાર મચી જશે.
બીજી તરફ, કેન્દ્રએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી હતી કે હાલમાં દિલ્હીમાં ઓક્સિજન સપ્લાયની અછત નથી અને કેટલાક ઉદ્યોગોને બાકાત રાખીને, ઓક્સિજનના અન્ય પ્રકારનાં ઔદ્યોગિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અદાલતને આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે 20 એપ્રિલ સુધીમાં, તબીબી ઓક્સિજનની આવશ્યકતામાં અસામાન્ય 133 ટકાનો વધારો થવાનો અંદાજ છે. દિલ્હી દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર પ્રારંભિક માંગ નો અંદાજ 300 મેટ્રિક ટન હતો, જે ઉપરથી સુધારીને 700 એમટી કરવામાં આવ્યો હતો.
Serious oxygen crisis persists in Delhi. I again urge centre to urgently provide oxygen to Delhi. Some hospitals are left with just a few hours of oxygen.
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 20, 2021
કેન્દ્ર સરકારે હાઈકોર્ટને પણ જણાવ્યું હતું કે તેણે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં લગભગ 1,390 વેન્ટિલેટર પૂરા પાડ્યા છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે શું ઉદ્યોગોની ઓક્સિજન સપ્લાય ઘટાડી અને દર્દીઓને આપી શકાય છે.
તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારે સોમવારે કોવિડ -19 ની સારવારમાં ઓક્સિજનના તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા માટે એક સમિતિની રચના કરી છે. પાટનગરની હોસ્પિટલોમાં ચેપના વધતા જતા કેસોને કારણે ઓક્સિજન સપ્લાયમાં અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીના આરોગ્ય વિભાગે ઓક્સિજન ઓડિટ સમિતિની સ્થાપનાના આદેશ જારી કર્યા છે . આદેશમાં જણાવાયું છે કે સમિતિ ખાતરી કરશે કે કોવિડ -19 દર્દીઓની સારવારમાં ઓક્સિજનનો ઉપયોગ તર્કસંગત રીતે કરવામાં આવે.
दिल्ली में अधिकतर अस्पतालों में केवल अगले 8 से 12 घंटे के लिए ही ऑक्सिजन उपलब्ध है.
हम एक हफ़्ते से दिल्ली को ऑक्सिजन सप्लाई कोटा बढ़ाने की माँग कर रहे हैं जोकि केंद्र सरकार को करना है . अगर कल सुबह तक पर्याप्त मात्रा में अस्पतालों में ऑक्सिजन नहीं पहुँची तो हाहाकार मच जाएगा. pic.twitter.com/omO7RCTaCj
— Manish Sisodia (@msisodia) April 20, 2021
દિલ્હીમાં લોકડાઉન
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં લાદવામાં આવેલા છ દિવસના લોકડાઉન વચ્ચે લોકોને આ સમયગાળા દરમિયાન મકાનની અંદર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ નિર્ણય લોકોના આરોગ્ય અને સલામતીના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યો છે. દિલ્હીમાં લોકડાઉન સોમવારે રાત્રે 10 વાગ્યે શરૂ થયું છે અને 26 એપ્રિલના રોજ સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.
કેજરીવાલે ટ્વિટ કર્યું કે આજથી દિલ્હીમાં લોકડાઉન શરૂ થઈ ગયું છે. આ નિર્ણય તમારા સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કૃપા કરીને આમાં સરકારને મદદ કરો, તમારા ઘરે રહો, ચેપ ટાળો. સોમવારે લોકડાઉનની ઘોષણા કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં કોવિડ -19 દર્દીઓના કારણે દિલ્હીમાં આરોગ્ય તંત્ર ભારે દબાણમાં છે અને જો કડક પગલા લેવામાં નહીં આવે તો આ સિસ્ટમ પડી જશે.
લોકડાઉનને કારણે ખાનગી ઓફિસો અને અન્ય મથકો જેવી કે દુકાનો, મોલ્સ, સાપ્તાહિક બજારો, બાંધકામ એકમો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે બંધ રહ્યા હતા અને લોકો પણ ઘરમાં જ રહ્યા હતા.
