અમદાવાદ,
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા મામલે અલ્પેશ કથિરીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે,વર્ષ2019માં પ્રથમ રાજકીય એન્કાઉન્ટર થયું છે. હરેન પંડ્યાની હત્યાની જેમ જયંતિ ભાનુશાલીની હત્યા થઈ હોવાનો આરોપ પણ અલ્પેશ કથીરિયાએ લગાવ્યો છે.
ચાલુ ટ્રેનમાં ઘૂસીને ગોળીઓ મારવી એના પરથી સાબિત થાય છે કે ગુજરાત કેટલું સલામત છે..એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ અને સીઆઇડી ક્રાઈમ એક સાથે તપાસ કરશે તે ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ રીતે હત્યા કરવામાં આવી હોવાની શંકા સાથે આરોપ લગાવ્યો હતો.
