Pakistan host Iran US ceasefire talks Islamabad: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવા માટે પાકિસ્તાન હવે મેદાનમાં આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે જાહેરાત કરી છે કે, ઈસ્લામાબાદ આગામી દિવસોમાં આ વિવાદના ઉકેલ માટે શાંતિ વાટાઘાટોની યજમાની કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે તેહરાન સાથે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંપર્ક ચાલુ છે.
ટ્રમ્પની 15-મુદ્દાની યોજના પર Iran સહમત?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 15-મુદ્દાની યુદ્ધવિરામ યોજના પર ઈરાને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ટ્રમ્પના મતે:
મોટાભાગના મુદ્દાઓ પર સહમતી: ઈરાન (Iran) અમેરિકાની યોજનાના મોટાભાગના મુદ્દાઓ પર સહમત થયું છે.
તેલના જહાજોને રસ્તો: ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી તેલના 20 જહાજોને પસાર થવાની મંજૂરી આપી દીધી છે.
સજાગ રહેવું જરૂરી: જોકે ટ્રમ્પે સાવધ રહેતા કહ્યું કે, “વાતચીત આગળ વધી છે, પણ ઈરાન (Iran) પર ક્યારેય પૂરો ભરોસો ન કરી શકાય. જો સ્થિતિ બગડશે તો અમે તાકાતથી જવાબ આપીશું.”
ઈરાનની કડક ચેતવણી: “અપમાન સહન નહીં કરીએ”
એક તરફ શાંતિની વાતો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઈરાનનું (Iran) વલણ હજુ પણ આક્રમક છે. ઈરાની (Iran) સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાનું દબાણ કે આત્મસમર્પણની શરતો સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે, “અમે ક્યારેય અમારું અપમાન બરદાસ્ત નહીં કરીએ.”
ખાનગી આવાસને નિશાન બનાવવાની ધમકી
ઈરાની સૈન્ય કમાનના પ્રવક્તા ઈબ્રાહિમ જુલ્ફિકારીએ એક ભયાનક ચેતવણી આપતા કહ્યું છે કે, જો અમેરિકા અને ઈઝરાયેલ ઈરાની નાગરિકોના ઘરોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે, તો ઈરાન વળતા પ્રહારમાં અમેરિકા અને ઈઝરાયેલના ઉચ્ચ અધિકારીઓના ખાનગી નિવાસસ્થાનો (Personal Residences) ને નિશાન બનાવશે.
આ પણ વાંચો : પાકિસ્તાની ડેપ્યુટી PM વિદેશી મહેમાનોના સ્વાગતમાં પછડાયા, વીડિયો જોઈ યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ
આ પણ વાંચો : શું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવશે? પાકિસ્તાન, સાઉદી અને તુર્કી શાંતિ સ્થાપવા મેદાનમાં
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?


