Part time Teachers Agitation/ પાર્ટ ટાઇમ કોલેજ શિક્ષકો પડતર માંગણીના નિરાકરણ સાથે વિરોધ પ્રદર્શન કરશે

પાર્ટ-ટાઇમ કોલેજ શિક્ષકોનું એક સંગઠન બુધવારે તેમની પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરશે. અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળે જણાવ્યું હતું કે અનેક રિમાઇન્ડર અને વારંવાર વિનંતીઓ છતાં રાજ્ય સરકાર તેમની માંગણીઓનું કોઈ નિરાકરણ લાવી નથી.

Top Stories Gandhinagar Gujarat

અમદાવાદ: પાર્ટ-ટાઇમ કોલેજ શિક્ષકોનું એક સંગઠન બુધવારે તેમની પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરશે. અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળે જણાવ્યું હતું કે અનેક રિમાઇન્ડર અને વારંવાર વિનંતીઓ છતાં રાજ્ય સરકાર તેમની માંગણીઓનું કોઈ નિરાકરણ લાવી નથી. તેમણે જણાવ્યું હતું કે તેમની રજૂઆતો સરકારના બહેરા કાને અથડાઈ રહી છે. તેમની સમસ્યાઓના નિરાકરણ માટે અનેક વખત સરકારે પોતે હૈયાધારણ આપી હોવા છતાં આ દિશામાં આગળ કાર્યવાહી થઈ નથી.

એસોસિએશને જણાવ્યું હતું કે તેમની પાસે એવા શિક્ષકો છે જેઓ છેલ્લા ત્રણ દાયકાથી પાર્ટ ટાઈમ કામ કરી રહ્યા છે. એસોસિએશને જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સ્કૂલ ઓફ કોમર્સમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આમ અન્ય સરકારી કર્મચારીઓ સાથે પાર્ટ ટાઇમ શિક્ષકોએ પણ ચૂંટણી ટાણે જ સરકારનું નાક દબાવ્યું છે.હવે સરકાર તેમના વિરોધ પ્રદર્શન સામે કયા પ્રકારના પગલા ભરે છે તેના પર નજર રહેશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ