ગુજરાતના રાજકારણમાં દબદબો રાખનારા પાટીદારોને અનામત માટે આંદોલન કરીને ધાર્યું મળ્યું કે ન મળ્યું તે વિશે ચર્ચા થઈ શકે પરંતુ એ વાત કોઈ ન નકારી શકે કે પાટીદાર આંદોલને ગુજરાતના રાજકારણને નવા અનેક પાટીદાર નેતા આપ્યા છે. પાટીદાર આંદોલનને વેગવંતુ બનાવનાર તમામ યુવા નેતાઓ જુદી જુદી રાજકીય પાર્ટીઓમાં સામેલ થયા છે.આંદોલનને લીડ કરનાર હાર્દિક પટેલ,વરૂણ પટેલ,રેશ્મા પટેલ,ગોપાલ ઇટાલિયા સહિત અનેક નેતાઓ રાજકીય પાર્ટીઓમાં સામેલ થયાી છે અને હજુપણ આંદોલનના નેતાઓ સામેલ થઇ રહ્યા છે ત્યારે આંદોલનના નેતા નિલેશ અરવાડિયાએ વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેમણે આંદોલનના નેતા હાર્દિક પટેલ પર બળાપો કાઢયો છે .સમાજની છાતી પર પગ મૂકીને રાજકીય રોટલો શેકનારે 14 શહીદ થયેલા પાટીદાર યુવકોના પરિવારને મળ્વા નથી જતા.આજેપણ પાટીદારના પ્રશ્નો ચશાવત છે.