સોનિયા ગાંધીએ મનમોહન સિંઘની સરકારમાં વરિષ્ઠ નેતા અને રેલવે પ્રધાન પવન કુમાર બંસલની તાત્કાલિક અસરથી પાર્ટીના ખજાનચી તરીકે નિમણૂક કરી છે. અગાઉ સ્વર્ગસ્થ નેતા અને પૂર્વ સાંસદ અહેમદ પટેલ આ જવાબદારી સંભાળતા હતા. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંસલને વચગાળાના પગલા તરીકે ખજાનચીની વધારાની જવાબદારી સોંપી છે. તેઓ પહેલેથી જ પાર્ટી પ્રશાસનનો હવાલો સંભાળી રહ્યા છે.
પવનકુમાર બંસલ કોણ છે..?
શાંત, સૌમ્ય જીવંત પવનકુમાર બંસલને તેજસ્વી નેતાઓમાંના એક માનવામાં આવે છે. બંસલ ઘણા લાંબા સમયથી રાજકારણની પૃષ્ઠભૂમિમાં હતા, પરંતુ આ જવાબદારી મળ્યા પછી ફરી એકવાર ફ્રન્ટ લાઇનમાં આવી ગયા છે. 72 વર્ષના પવનકુમાર બંસલ 10 મી, 13 મી, 14 મી અને 15 મી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.
તેઓ યુપીએની મનમોહન સિંઘની સરકારમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી, સંસદીય કાર્ય રાજ્યમંત્રી, તમામ વિભાગોમાં જળ સંસાધન મંત્રાલય તરીકે રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રીય રેલ્વે મંત્રી પણ બન્યા હતા, પરંતુ તેમના ભત્રીજા વિવેક સિંગલા ઉપર લાંચના આરોપ બાદ આ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પવન કુમાર બંસલને ખજાનચીનો હવાલો સોપ્યો છે. એમ કોંગ્રેસ પાર્ટીના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે માહિતી આપી છે.
Congress leader Pawan Kumar Bansal given the additional responsibility of AICC treasurer, as an interim measure.
— ANI (@ANI) November 28, 2020

