થરાદ
થરાદ શહેરમાં રખડતા પશુઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. થરાદના મુખ્ય બજાર બસસ્ટેન્ડના ગેટ સામે પશુઓનો અડીગો જોવા મળે છે. માલિકીની ગાયોને શહેરમાં રખડતી મુકતા પશુપાલકોના કારણે લોકોને પરેશાની ભોગવવી પડે છે.
રાહદારી તેમજ ટુ વ્હિલરને શિગડે ચડાવવાની દહેશત રહે છે. રખડતા ગૌવંશ આખલાઓને પાંજરાપોળ મુકવા અનેક લોકોની માંગ ઉઠવા પામી છે.
સાથે નગરપાલિકાના સત્તાધિશોની બેદરકારી પશુઓ બને છે ટ્રાફિકને નડતરરૂપ બને તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. થરાદ પોલિસ મથકમાં ફરજ બજાવતા પી.આઇ દિવસમાં એકાદ રાઉન્ડ મારે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહ્યા છે.