Not Set/ દુષ્કર્મના બદઇરાદે જંગલમાં લઇ જવાનો મામલો, યુવતીઓના માવતરે કરી પોલીસ ફરિયાદ

ભુજ ભુજ તાલુકાના નારણપર ગામમાં સગીર યુવતીઓને દુષ્કર્મના બદઇરાદે જંગલમાં લઇ જવાને મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી. યુવતીના માવતરે મુસ્લિમ યુવકો સામે પોલીસ ફરિયાદ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીઓ સામે પોક્સોની કલમ લગાડી 363,366 અને 114 હેઠળ ફરિયાદ નોંધી તપાસ અને પુછપરઠછની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિકોમાં આ મામલે […]

Top Stories Gujarat Trending
rain 39 દુષ્કર્મના બદઇરાદે જંગલમાં લઇ જવાનો મામલો, યુવતીઓના માવતરે કરી પોલીસ ફરિયાદ

ભુજ

ભુજ તાલુકાના નારણપર ગામમાં સગીર યુવતીઓને દુષ્કર્મના બદઇરાદે જંગલમાં લઇ જવાને મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી. યુવતીના માવતરે મુસ્લિમ યુવકો સામે પોલીસ ફરિયાદ ફરિયાદ કરી હતી.

પોલીસે આરોપીઓ સામે પોક્સોની કલમ લગાડી 363,366 અને 114 હેઠળ ફરિયાદ નોંધી તપાસ અને પુછપરઠછની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિકોમાં આ મામલે રોષનો અગ્નિ પ્રગટ્યો છે. લવજીહાદનો મામલે દુષ્કર્મની ચર્ચાએ જોર પકડ્યુ છે.

ઉલ્લેખનિય છે કે ત્રણ મુસ્લિમ યુવકોને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલાની હકીકત સામે આવી છે. નારણપરમાં રહેતાં જીતેન્દ્ર માલશી ફફલ, અલતાફ ફકીરમામદ પલેજા અને અકબર ઈભલા જત નામનાં ત્રણ યુવકો દુષ્કર્મના બદઇરાદે યુવતીઓને ફોસલાવી જંગલમાં લઇ ગયા હતા.

આ માહિતી યુવતીના માવતરોને મળતા જંગલમાં જઇ યુવકોને દોરડા વડે બાંધી માર માર્યો હતો. સ્થાનિકોને આ મામલાની જાણ થતા મોટા પ્રમાણમાં સ્થાનિકો એકઠા થયા હતા અને યુવકોને માર માર્યો હતો.