શિવરાત્રિ એટલે આજનો દિવસ દેવોના દેવ મહાદેવ ને રીઝવવા માટે નો અનેરો પર્વ છે શિવરાત્રીએ કરેલા શિવજીના પૂજનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જાણીતા જ્યોતિષી કિશન રાવલના જણાવ્યા પ્રમાણે શાસ્ત્ર અનુસાર શિવરાત્રીના ચાર પ્રહર ની પૂજા કરવાથી વિશેષ અક્ષય પુણ્ય ફળ મળે છે અને શિવ કૃપા પ્રાપ્ત થાય છે. અને એમાંથી નિશિતા કાલ પૂજા એક એવો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય જેમાં પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે નિશિતા કાલમાં પૂજા કરવાથી એ ભાવ અને ભક્તિ શિવજી સુધી પહોંચે છે. ચાલો આપને જણાવીએ આજના દિવસે પૂજા કરવાના દરેક શ્રેષ્ઠ મુરતો.. અને આ સાથે જે લોકોએ આજે શિવરાત્રિનો ઉપવાસ કર્યો હોય, તેમણે કયા સમયે પારણા કરી શકાય તેનો યોગ્ય સમય પણ નોંધી લો..
નિશિતા કાલ પૂજા સમય
રાત્રે 12:25 થી 1:13 (12 માર્ચ)
12 માર્ચ, શિવરાત્રિ પારણા કરવાનો સમય
06:51 AM થી 03:02 PM
રાત્રિ પહેલા પ્રહારની પૂજાનો સમય- 06:47 PM થી 09:48 PM
રાત્રિ બીજા પ્રહારની પૂજાનો સમય- 09:48 PM થી 12:49 AM
રાત્રિ ત્રીજા પ્રહારની પૂજાનો સમય- 12:49 AM થી 03:50 AM
રાત્રિ ચોથા પ્રહારની પૂજાનો સમય- 03:50 AM થી 06:51 AM
આ પણ વાંચો- હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?
આ પણ વાંચો- કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, જાણો ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ
આ પણ વાંચો- Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ