પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાની માંગ જયારે ભારતભરમાં ચોકોરથી ઉઠાવવામાં આવી રહી છે એવામાં ભારતીય નાગરિકો માટે અધિકારીઓએ જીએસટી અંગે નકારાત્મક સંદેશ જણાવી આપ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જો સર્વે નાગરિકોની સહમતી રહેશે તો પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવશે. પરંતુ આપણે એક નકારાત્મક સમાચાર પણ આપી દઈએ કે પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લેવામાં આવશે એનો અર્થ એવો નથી કે પેટ્રોલ-ડીઝલના રૂપિયામાં જંગી ઘટાડો આવી શકે.
આપણે જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લેવામાં આવશે પરતું તેના પર લાગતો ટેક્સ ઓછો કરવામાં નહિ આવે. એટલે કે લોકોનું માનવું છે કે જો પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવશે તો પેટ્રોલ-ડીઝલનો ભાવ 50 રૂપિયાથી પણ ઓછો થઇ શકે એમ છે. પરંતુ અહી પરિસ્થિતિ એમ નથી પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત તો લાવવામાં આવશે પરંતુ ટેક્સ ઓછો કરવામાં નહિ આવે.
અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ સર સર્વાધિક ટેક્સના દરનાં કારણે સરકારની તિજોરીમાં વધુ કમાણી થઇ રહી છે. જો 28 ટકા ટેક્સ લગાવવામાં આવશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની કમાણીમાં ઘટાડો થઇ શકે એમ છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલને જીએસટીના 28 ટકા સ્લેબમાં રાખવામાં આવશે અને રાજ્ય સરકાર તેના પર લોકલ સેલ્સ ટેક્સ અથવા વેટ પણ લાદશે.
જયારે આપને એક ચોંકાવનારી વાત જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલને 28 ટકાના જીએસટી સ્લેબમાં લાવવામાં આવશે તો તેમાં વેટ જોડતા ટેક્સ હાલના પેટ્રોલ-ડીઝલના ભાવ બરાબર જ થશે. જયારે અત્યારની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકાર વેટની વસુલી કરે છે.