Not Set/ સંભવિત વાવાઝોડાની આફતને પગલે વડાપ્રધાન સતત રાજ્ય સરકારના સંપર્કમાં

 ગુજરાતમાં  સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તાઉતે  વાવાઝોડાને લઈને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરી ચુક્યું છે. જે આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુલાના દરિયાકાંઠે તાઉતે   ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે. તેને લઈ વડાપ્રધાન મોદી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી […]

Top Stories Gujarat
Untitled 185 સંભવિત વાવાઝોડાની આફતને પગલે વડાપ્રધાન સતત રાજ્ય સરકારના સંપર્કમાં

 ગુજરાતમાં  સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તાઉતે  વાવાઝોડાને લઈને હવામાન વિભાગ એલર્ટ જાહેર કરી ચુક્યું છે. જે આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુલાના દરિયાકાંઠે તાઉતે   ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે. તેને લઈ વડાપ્રધાન મોદી સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાનએ ગુજરાતને આ તાઉતે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી.

તાઉતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડું દીવથી માત્ર 130 કિ.મી દુર દરિયામાં 15 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે.  હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવવાની શક્યતા જોવા મળી રહી છે  છે.  જેમાં પવનની ગતિ 185 કિ.મી પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાબરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150 થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તાઉતે  વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 15 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.