વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાની મુલાકાતે આવશે. આ દરમિયાન પીએમ મોદી 16,369 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સોમવારે આ માહિતી આપી છે. માહિતી આપતા જીતુ વાઘાણીએ કહ્યું કે પીએમ મોદી 18 જૂને રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
ગુજરાત ગૌરવ અભિયાન રેલીને સંબોધશે
નવી ટ્રેનો, નવા ફ્રેટ કોરિડોર, રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ અને ગેજ રૂપાંતરણના કાર્યોનો સમાવેશ થાય છે. આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન રેલીને પણ સંબોધિત કરશે.
ધારાસભ્યોને વિકાસ માટે ગ્રાન્ટ મળશે
સોમવારના રાજ્ય કેબિનેટમાં, સરકારે છેલ્લા બે દાયકાના વિકાસ કાર્યોને દર્શાવવા માટે 1 થી 15 જુલાઈ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજવાનું પણ નક્કી કર્યું છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, અન્ય મહત્વના નિર્ણયમાં રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા 46 ધારાસભ્યોને વિકાસ પ્રવૃત્તિઓ માટે પ્રત્યેકને 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે.
આ પણ વાંચો: અદાણી ગ્રૂપના હાઇડ્રોજન વેન્ચરમાં ફ્રાન્સની ફર્મની 25 ટકા હિસ્સેદારી