જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં બે જવાનોની શહાદતનો બદલો લેવા ભારતે પીઓકેમાં ત્રણ લશ્કરી કેમ્પનો નાશ કર્યો હતો. આ હુમલામાં 5 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ મુદ્દે સવાલો ઉઠાવતા કોંગ્રેસ નેતા અખિલેશસિંહે કહ્યું કે જ્યારે પણ મોટી ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઈકની પદ્ધતિ શરૂ થાય છે.
અખિલેશસિંહે ઇશારાઓમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “હવે સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકારણ કરવામાં આવશે. તેઓ લોકોનું ધ્યાન અસલી મુદ્દાઓથી હટાવવા માગે છે. આવતીકાલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.