પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે નાગરિકતા અધિનિયમ (સીએએ), રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) નો વિરોધ કરવા માટે પશ્ચિમ બંગાળના નાદિયા, બંગાવનમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કેન્દ્ર સરકારની વિરુદ્ધ ઉગ્ર વક્તવ્ય આપ્યું હતું.
આ સભાને સંબોધન કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે કોઈ કાગળ ન બતાવવા જોઈએ. જો તેઓ આધારકાર્ડ સબમિટ કરે છે અથવા કુટુંબની માહિતી માટે પૂછે છે, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તે આપશો નહીં.
આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે તમે (ભાજપ) મને દેશમાંથી હાંકી કાઢશો, કેમ કે મારી પાસે મારી માતાનું જન્મનું પ્રમાણપત્ર નથી. તેમણે એનપીઆર, એનઆરસી અને સીએએને બ્લેક મેજિક પણ ગણાવ્યું.
મમતા બેનર્જીએ કહ્યું કે સૂચિત રાષ્ટ્રવ્યાપી એનઆરસીના ડરને કારણે પશ્ચિમ બંગાળમાં 30 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે (તૃણમૂલ કોંગ્રેસ) ભાજપ જેવા ગેરરીતિવાળી પાર્ટી નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતા બેનર્જીએ કહ્યું હતું કે, વડા પ્રધાન જેમણે પોતાને લોકસભા ચૂંટણીઓ દરમિયાન ફક્ત ચોકીદાર ગણાવ્યા હતા, તેની તુલનામાં તે(બેનર્જી) વર્ષભર લોકોની સંભાળ રાખે છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે. 24 ઉત્તર પરગના, બનાગાંવમાં એક સભાને સંબોધન કરતા મમતાએ કહ્યું કે, હું લોકોમાં નફરત ફેલાવનારા જૂથની નથી. ભાજપના નેતાઓના પ્રોત્સાહનને પગલે શાહીન બાગ અને જામિયા મીલીયાની બહાર ફાયરિંગ થયુમ હતું. લોકોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
શાહીન બાગના વિરોધીઓને સમર્થન આપતાં ટીએમસી સુપ્રીમોએ જણાવ્યું હતું કે કેટલાક પક્ષો સુધારેલા નાગરિકત્વ કાયદાના સમર્થન મુદ્દે દુ:પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન