સર્વે/ ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું PM મોદી હવાઇ નિરીક્ષણ કરી શકે છે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફરી 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે તેમનો 15 જુલાઈનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે.

Top Stories Gujarat
3 34 ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું PM મોદી હવાઇ નિરીક્ષણ કરી શકે છે!

ગુજરાતમાં મેઘરાજાએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે,રાજ્યના ઘણાબધા જિલ્લાઓ પ્રભાવિત થયા છે, જેના લીધે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું,ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે,આ વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે. તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.  તેમજ હવાઇ સર્વે બાદ પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક યોજે તેવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફરી 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે તેમનો 15 જુલાઈનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વડાપ્રધાનનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સીટી અને હિંમતનગરનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે.

ગુજરાતમાં  છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા અનરાધાર વરસાદે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. જેમાં રાજયના છોટા ઉદેપુર, નર્મદા અને નવસારી અને વલસાડ  જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે આ અસર ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સતત વરસી રહેલા વરસાદમાં લોકોને થતી હાલા કે બાદ તંત્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. જેમાં તેવો છોટાઉદેપુરના બોડેલી અને ત્યારબાદ નર્મદા અને ત્યાર બાદ નવસારી જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી હતી. આ સાથે અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા સૂચન કર્યું હતું. તેમજ પીડિતોને જલ્દી સહાય મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પૂર્વે તેમણે છોટાઉદેપુરના બોડેલી અને ત્યારબાદ નર્મદા જિલ્લાની હવાઈ સમીક્ષા કરી હતી અને આ હવાઈ સમીક્ષા કર્યા બાદ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હેલિકોપ્ટર મારફતે તેઓ આવી પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને નર્મદા જિલ્લાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા.