જોન અબ્રાહમ તેની આગામી ફિલ્મ “પરમાણુ –ધ સ્ટોરી ઓફ પોખરણ” ને લઈને ખુબજ એક્સાઈટેડ છે. આ ફિલ્મ ભારતની એ ઈતિહાસિક ઘટના પર આધારિત છે. જેના કારણે ભારત દેશ પરમાણુ શક્તિ સંપન્ન દેશોમા એક મજૂબતીથી આવીને ઉભો રહી ગયો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને જોન અબ્રાહમ સૌથી પહેલાં દેશના પીએમ નરેન્દ્ર મોદી માટે સ્પેશીયલ સ્ક્રીનીગ રાખવામાં આવશે. આ ફિલ્મને મોદી સૌથી પહેલા જોશે. ફિલ્મના નિર્માતાનું કહેવું છે કે આ ફિલ્મને જોઇને દેશના પીએમ પોતનું મંતવ્ય રજુ કરે.
આ ફિલ્મને લઈને શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, આ ફિલ્મ દેશની ઇતિહાસમાં થઈ ઘટનાના આધારિત છે માટે આ ફિલ્મને જોઈતી જરૂરી મદદ તેને મળવી જોઈએ. આ ફિલ્મ 23 ફ્રેબ્રુઆરીના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મની તારીખને લઈને ઘણીવાર ફેરફારો થયા છે પણ ફિલ્મના નિર્માતા પ્રેરણા અરોડાએ સ્પષ્ટ કર્યું છે, હવે આ ફિલ્મની રીલીઝ તારીખમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. આ ફિલ્મ ભારતના બીજા પરમાણુ પરીક્ષણ એટલે કે પોખરણ 2 સાથે આ કહાની સંબધ છે.
ભારતે 1998માં 11 થી 13 મે ની વચ્ચે રાજસ્થાનના પોખરણમાં ટેસ્ટ રેંજમાં ઓપેરશન શક્તિ નામથી બીજું પરમાણું પરીક્ષણ કર્યું હતું. જેમાં 5 પરમાણું બોમ્બનો ટેસ્ટ એક્સપ્લોજ્ન કર્યું હતું. ડો, એપીજે અબ્દુલ કલામ આ પ્રોજેક્ટના હેડ હતાં, અને એ વખતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પરીક્ષણ માટે સાઈન કરી હતી. પોખરણમાં ભારતે 1974માં પહેલું પરમાણું પરીક્ષણ કર્યું હતું.