ભારત ધ્વારા કરાયેલ Air Strike બાદ બંને દેશ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાની સેનાએ એવો દાવો કર્યો છે કે તેણે બે ભારતીય વિમાનોને લક્ષ્ય બનાવ્યું છે અને ભારતીય પાયલોટ તેમના કબ્જામાં છે. જયારે પાકિસ્તાનની આ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપતા ભારતીય સરહદમાં પ્રવેશતા પાકિસ્તાની વિમાન F-16 તોડી પાડ્યું છે.
ભારત-પાક સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્રણ સેનાઓના વડાઓ સાથે 7 (LKM)લોક કલ્યાણ રોડની મીટિંગ સમાપ્ત થઈ ગઈ છે. આ મીટિંગ લગભગ બે કલાક ચાલી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ તાજેતરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.