Not Set/ ….તો આ કારણે પીએમ મોદીની કેરળની મુલાકાત થઇ ગઈ સ્થગિત

તિરુવનંતપુરમ પીએમ મોદી ઝારખંડ અને ઓડીશા એ બંને રાજ્યોની આજે મુલાકાત લેવાના છે. સબરીમાલા મંદિરના વિવાદને પગલે કેરળમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શનકારીઓ દેખાવ કરી રહ્યા છે. આ વિરોધીઓએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે અને હાલ પણ રાજ્યમાં હિંસક દેખાવો ચાલુ છે. પીએમ મોદીની કેરળની મુલાકાત હાલ ચાલી રહેલા દેખાવોને લીધે સ્થગિત કરવામાં આવી છે. […]

Top Stories India Trending Politics
pm modi 1 ....તો આ કારણે પીએમ મોદીની કેરળની મુલાકાત થઇ ગઈ સ્થગિત

તિરુવનંતપુરમ

પીએમ મોદી ઝારખંડ અને ઓડીશા એ બંને રાજ્યોની આજે મુલાકાત લેવાના છે. સબરીમાલા મંદિરના વિવાદને પગલે કેરળમાં છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શનકારીઓ દેખાવ કરી રહ્યા છે. આ વિરોધીઓએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે અને હાલ પણ રાજ્યમાં હિંસક દેખાવો ચાલુ છે.

પીએમ મોદીની કેરળની મુલાકાત હાલ ચાલી રહેલા દેખાવોને લીધે સ્થગિત કરવામાં આવી છે. બીજેપીના સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદી રવિવારના રોજ કેરળની મુલાકાતે આવવાના હતા. હાલ રાજ્યની પરિસ્થિતિને જોઇને આ પ્રવાસ ટાળવામાં આવ્યો છે.

વિવિધ પાર્ટીના નેતાના ઘર પર દેશી બોમ્બથી હુમલો

શુક્રવારે રાત્રે સીપીએમના કાર્યકર્તાઓએ આરએસએસના નેતા ચંદ્રનના ઘર પર પણ હુમલો કર્યો હતો.શુક્રવારે રાત્રે સીપીએમના નેતા એ.એન. સમશીરના ઘર પર પણ દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

જો કે આ હુમલાથી કોઈ નુકશાન નથી થયું. આની પહેલા પણ શુક્રવારે ભાજપ અને આરએસએસના કાર્યલયો પર સીપીએમના સમર્થકોએ હુમલો કરીને નુકશાન પહોચાડ્યું હતું.

શનિવારે સવારે કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના સંસદ સભ્ય વી મુરલીધરનના ઘર પર દેશી બોમ્બથી હુમલો કર્યો છે.

હિંસક દેખાવોમાં  ૧૭૪ લોકો ઘાયલ 

કેરળમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં લોકો દેસી બોમ્બ અને પથ્થર જ્યાંત્યાં ફેંકી રહ્યા છે. ‘પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૭૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હિંસક પ્રદર્શન મામલે ૧૧૦૮ કેસ દખલ કરવામાં આવ્યા છે. ૧૩૨ પોલીસકર્મીઓ અને  ૧૦ મીડિયાકર્મીઓ સહિત ૧૭૪ લોકો આ હિંસામાં ઘાયલ થયા છે.

કોણે કર્યો હતો મંદિરમાં પ્રવેશ ?

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.

બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

મંદિરનું કર્યું શુદ્ધિકરણ 

આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે હાલ મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એટલું જ નહી પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય મુખ્ય પુજારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.