કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. મધર ડેરીના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે અમે એવી ટેક્નિક લાવીશું કે માત્ર માદા ગાય જ પેદા થશે.
કેન્દ્રીય પશુપાલન મંત્રીએ કહ્યું કે સરકાર પશુઓના લિંગને નિર્ધારિત કરવાની ટેક્નોલોજી રજૂ કરવા જઈ રહી છે. આ નવી ટેક્નોલોજીથી માત્ર માદા ગાયનો જન્મ થશે અને તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
તેમણે વધુમાં કહ્યું કે અમે ગાય ઉત્પાદન કરતી ફેકટરી નાખીશું . અમે આઈવીએફ ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું જેથી ગાય કે જેણે દૂધ આપવાનું બંધ કરી દીધું છે તે પણ 20 લિટર દૂધ આપવાનું શરૂ કરશે. આ સાથે આપણે ક્રાંતિ લાવીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.