PM Narendra Modi 76th Birthday Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં સેવા પ્રવૃત્તિઓ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ અને બાઇક યાત્રાનો સમાવેશ થાય છે. ખાસ આકર્ષણ વડનગર અને વારાણસીને જોડતી બે બાઇક યાત્રાઓ રહેશે. ભાજપના જણાવ્યા અનુસાર, આ અભિયાન વડાપ્રધાન મોદીના 25 વર્ષના જાહેર જીવનને ધ્યાનમાં રાખીને યોજાઈ રહ્યું છે.
વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર બાઇક યાત્રા
ભાજપ(PM Narendra Modi ) દ્વારા વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બે દિશામાં બાઇક યાત્રા યોજાશે. વડનગર વડાપ્રધાન મોદીનું(PM Narendra Modi ) જન્મસ્થળ છે, જ્યારે વારાણસી તેમનો લોકસભા મતવિસ્તાર છે. બંને યાત્રાઓનો કુલ પ્રવાસ આશરે 40 હજાર કિલોમીટરનો રહેશે અને અનેક રાજ્યો તથા જિલ્લાઓમાંથી પસાર થશે. વડનગરથી નીકળનારી યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લીલીઝંડી આપવાની યોજના છે, જ્યારે વારાણસીથી શરૂ થનારી યાત્રાને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લીલીઝંડી આપશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમાં જોડાશે.
દેશભરમાં સેવા અને સ્વચ્છતા અભિયાન
PM Narendra Modi ના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્વચ્છતા અભિયાન અને રક્તદાન કેમ્પ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાં સાંજે દીવા પ્રગટાવવાના કાર્યક્રમો સહિત અન્ય સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
PM મોદીને મળેલી ભેટોની થશે ઈ-હરાજી
વડાપ્રધાન મોદીને(PM Narendra Modi ) મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોની ઈ-હરાજી પણ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વખતે લગભગ 1,500 મેમેન્ટોઝ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર આ આઠમી આવૃત્તિ છે અને તેમાં કલા, હસ્તકલા, ધાર્મિક સ્મૃતિચિહ્નો સહિત વિવિધ પ્રકારની વસ્તુઓ સામેલ છે. આ હરાજીમાં કુલ 1,498 વસ્તુઓ સામેલ હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે અને પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધી ચાલવાની છે. હરાજી માટે મુકાયેલી વસ્તુઓનું પ્રદર્શન દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ ખાતે પણ કરવામાં આવી રહ્યું છે. આ રીતે વડાપ્રધાનના જન્મદિવસને લઈને ભાજપ દ્વારા દેશભરમાં સેવા, સામાજિક કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
LIVE UPDATES ……
12:00 PM
வலிமையான இந்தியாவை உருவாக்கும் நோக்கில் அர்ப்பணிப்புடன் செயல்பட்டு வரும் மாண்புமிகு இந்தியப் பிரதமர் திரு.நரேந்திர மோடி அவர்களுக்கு எனது மனமார்ந்த பிறந்தநாள் வாழ்த்துகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
தாங்கள் நல்ல உடல்நலத்துடனும், நீண்ட ஆயுளுடனும் நீடுழி வாழ உளமார வாழ்த்துகிறேன்.
— CMOTamilNadu (@CMOTamilnadu) September 17, 2026
CM વિજયે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીને પોતાના તરફથી જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.
11:55 AM
Warm birthday wishes to our Hon’ble Prime Minister Shri @narendramodi Ji. 💐
Your journey reflects remarkable determination, discipline and an unwavering commitment to serving Bharat. Your vision for a stronger, self-reliant India and your spirit of Seva continue to inspire…
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 17, 2026
ચિરંજીવીએ પણ PM મોદીને પાઠવી શુભેચ્છા
તેલુગુ ફિલ્મ જગતના જાણીતા અભિનેતા ચિરંજીવીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ‘એક્સ’ પર સંદેશ શેર કરીને વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી હતી. ચિરંજીવીએ તેમના જાહેર જીવનની યાત્રાનો ઉલ્લેખ કરતાં દેશ પ્રત્યેની તેમની શિસ્ત અને પ્રતિબદ્ધતાને પણ નોંધાવી હતી.
11:45 AM
PM મોદીએ વિશ્વકર્મા જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
સેમિકોન ઈન્ડિયા 2026ના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે ભારતીય પરંપરામાં ભગવાન વિશ્વકર્માને નિર્માણ અને સર્જનાત્મક શક્તિના પ્રતીક તરીકે માનવામાં આવે છે. વડાપ્રધાને એ પણ ઉલ્લેખ કર્યો કે વિશ્વકર્મા જયંતિના દિવસે જ સેમિકોન ઈન્ડિયા કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે, જેને તેમણે એક ખાસ સંયોગ ગણાવ્યો હતો.
11:36 AM
Warmest birthday wishes to our beloved Hon’ble Prime Minister! 🇮🇳❤️🎂 @narendramodi ji
For many years, your life has been devoted to public service, guided by a deep sense of duty and dedication to our nation. Your perseverance, commitment, and tireless work for the people are… pic.twitter.com/mk7mG2lvQV
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 17, 2026
હરભજન સિંહે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંદેશ શેર કરીને વડાપ્રધાનના જાહેર જીવન અને દેશસેવાનો ઉલ્લેખ કર્યો હતો. હરભજન સિંહે જણાવ્યું કે વડાપ્રધાનનું જીવન લાંબા સમયથી જનસેવાને સમર્પિત રહ્યું છે અને દેશ પ્રત્યેની ફરજ તથા પ્રતિબદ્ધતા તેમની કામગીરીમાં જોવા મળે છે. તેમણે લોકો માટે વડાપ્રધાનની મહેનત, સમર્પણ અને સતત પ્રયાસોને પ્રેરણાદાયક ગણાવ્યા હતા.
11:21 AM
Wishing a very Happy Birthday to Hon’ble Prime Minister Shri @narendramodi ji. Your tireless dedication to the nation continues to inspire us all. Praying for your long life, good health, and happiness as you guide India to new heights. 🙏🏼
— Sachin Tendulkar (@sachin_rt) September 17, 2026
સચિન તેંડુલકરે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. સચિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સંદેશ શેર કરીને વડાપ્રધાનના દેશ માટેના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશ પ્રત્યે વડાપ્રધાનની સેવા અને યોગદાન પ્રેરણારૂપ છે. સાથે જ સચિને વડાપ્રધાનને લાંબા અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.
11:01 AM
PM મોદીએ સેમિકોન ઈન્ડિયા 2026નું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) સેમિકોન ઈન્ડિયા 2026નું ઉદ્ઘાટન કર્યું છે. 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે જોડાયેલી વૈશ્વિક કંપનીઓ અને ઉદ્યોગ નિષ્ણાતોની ભાગીદારી જોવા મળી રહી છે. આ વખતે 52 દેશોની 300થી વધુ કંપનીઓ ઈવેન્ટમાં સામેલ થઈ રહી છે. કાર્યક્રમને ભારતના સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વધતી ભાગીદારી તથા વૈશ્વિક સહયોગના મહત્વપૂર્ણ મંચ તરીકે જોવામાં આવી રહ્યો છે.
10:56 AM
प्रधानमंत्री जी को जन्मदिन की बधाई और स्वस्थ एवं सक्रिय सार्थक जीवन के लिए शुभकामनाएँ!
— Akhilesh Yadav (@yadavakhilesh) September 17, 2026
અખિલેશ યાદવે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને વડાપ્રધાનને શુભકામનાઓ આપી હતી. તેમણે વડાપ્રધાનના સ્વસ્થ જીવન તેમજ સક્રિય અને સાર્થક જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
10:54 AM
Happy birthday to PM Narendra Modi ji. Wishing you good health and a long life.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2026
રાહુલ ગાંધીએ પણ PM મોદીને પાઠવી શુભકામના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ‘એક્સ’ પર સંદેશ શેર કરીને વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી અને તેમના સારા સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
10:35 AM
गुजरात के वडनगर में #SevaSankalpAbhiyan के तहत ‘एक भारत, श्रेष्ठ भारत’ का संदेश देने वाली ‘वडनगर से वाराणसी’ बाइक रैली के फ्लैग-ऑफ कार्यक्रम से लाइव… https://t.co/gXBQiUli8c
— Amit Shah (@AmitShah) September 17, 2026
PM મોદીના 25 વર્ષના રાજકીય સફરનો અમિત શાહે કર્યો ઉલ્લેખ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) લાંબા રાજકીય કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આઝાદી બાદ અત્યાર સુધી કોઈ રાજનેતાએ સતત 25 વર્ષ સુધી રાજ્ય અને ત્યારબાદ દેશના નેતૃત્વની જવાબદારી સંભાળવાનો આવો રેકોર્ડ બનાવ્યો નથી. અમિત શાહે વડાપ્રધાન મોદીના સતત ચૂંટણી વિજય અને જનસમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
10:19 AM
जीवेत् शरदः शतम् शतम्।
सुदिनं सुदिनं जन्मदिनम्।
भवतु मंगलं जन्मदिनम्॥देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जन्मदिवस की हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं।
ईश्वर से प्रार्थना है कि उन्हें दीर्घायु, उत्तम स्वास्थ्य एवं निरंतर राष्ट्रसेवा की शक्ति प्रदान करें। उनके… pic.twitter.com/TNZm7AxYPr
— Kangana Ranaut (@KanganaTeam) September 17, 2026
કંગના રનૌતે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ભાજપ નેતા(PM Narendra Modi) અને અભિનેત્રી કંગના રનૌતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની(PM Narendra Modi) શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર સંદેશ પોસ્ટ કરીને તેમણે વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે દેશની સેવા કરવાની શક્તિ મળે અને વિકસિત તથા આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ વેગ મળે તેવી શુભકામના પણ વ્યક્ત કરી હતી.
