@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
રાજ્યસભામાં ચાર સાંસદોની વિદાય
રાજ્યસભામાં આજે પ્રધાનમંત્રી મોદીએ હાજરી આપી.આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરનાં ચાર સાંસદોને વિદાય અપાઇ કારણકે જમ્મુ કાશ્મીરનાં ચાર સાંસદોનો કાર્યકાળ આજે પૂર્ણ થયો.PDPનાં બે,કોંગ્રેસનાં એક અને ભાજપનાં એક સાંસદનો કાર્યકાળ પૂર્ણ થયો જેને લઇને રાજ્યસભામાં આજે તેમને સત્તાવાર રીતે વિદાય આપવામાં આવી.આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં હાજરી આપી અને સંબોધન કર્યુ.કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદની પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરી.અને એક ખાસ ઘટનાને યાદ કરી સંસ્મરણો વાગોળ્યા
પ્રધાનમંત્રી મોદી થયાં ભાવુક
ગુલામનબી આઝાદની કરી પ્રશંસા
વિપક્ષ નેતા ગુલામનબી આઝાદની પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરી હતી.માત્ર પક્ષની જ નહીં પણ દેશની ચિંતા ગુલામનબી આઝાદ કરતા હતા તેમ પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું.2PDP,1 ભાજપ,1 કોંગ્રેસનાં સાંસદ રાજ્યસભામાંની સત્તાવાર વિદાય થતાં પ્રધાનમંત્રી મોદીએ વિદાય સંબોધન કર્યુ હતુ.