વિંગ કમાન્ડર પાયલટ અભિનંદન વર્તમાન ભારત પરત ફરી રહ્યા છે. આ બાબતને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યુ હતુ કે મને ગર્વ છે કે ભારતની પ્રથમ રક્ષામંત્રી નિર્મલા સીતારામન પણ તમિલનાડૂથી છે અને વિંગ કમાન્ડર અભિનંદન પણ તમિલનાડૂથી છે.
ઉલ્લેખનીય છે કે, પુલાવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. બુધવારે POKમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી. કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા કરી. પી.એમ. મોદીએ કહ્યું કે દરેક ભારતીયને ગર્વ છે કે બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન, તમિલનાડુથી છે.
આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હોવાની માહિતી મળી હતી. પરંતુ બાદમાં પાકિસ્તાને એક પાયલટ જીવતો હોવાની મીડિયા સમક્ષ પુષ્ટિ કરી હતી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને બુધવારે પાયલટ અભિનંદનને પરત મોકલવાની જાહેરાત કરી હતી. જેને પગલે હાલ અભિનંદનના પરિવાર સહિત દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.