જામનગર,
જામનગરમાં મંત્રી સૌરભ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. વડાપ્રધાનના આગમનને લઈને પત્રકાર પરિષદ યોજાઇ. જિલ્લા કલેકટર સભા ખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ.
કેન્દ્રીય મંત્રી આર.સી.ફળદુ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ત્યારે સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે જામનગરમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય.
સૌની યોજનાનું પાણી રણજિત સાગરમાં ઠલાવાશે. મચ્છુ ડેમથી બાયપાસ કરી પાણી પહોંચાડાશે. રણજિત સાગર ડેમમાં 2000 ક્યુસેક જેટલું પાણી ઠલવાશે. PMના આગમનને લઈને સૌરભ પટેલે સ્થળ સમીક્ષા કરી હતી.