સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે ગૂનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ધોળે દિવસે પણ લોકો ખૂન જેવી ઘટનાને અંજામ આપતાં સહેજે અચકતા નથી. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના વડનગર ખાતે બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર 3 શખ્સોએ ભેગા મળીને યુવકની હત્યા કર્યાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના હ ઝીંકીને ત્રણ શખ્સો દ્વારા ભેગા મળીને એક યુવકની હત્યા કર્યાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક કારણોસર હત્યા નિપજાવી હોવાની આશંકા સામે આવી રહી છે. હત્યાની ઘટનાને અંજામ આપીને ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા. આંગે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.