વારણાસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરપ્રદેશમાં પોતાની સંસદીય મતવિસ્તારમાં સભાનું આયોજન કર્યું હતું જેમા તે પોતાનું ભોજન પણ સાથે જ પેક કરાવીને લાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓ સાથે પોતાનું ભોજન લઇને આવવા માટે આગ્ર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, કેમ કે હું કાર્યકર્તા છું એટલે મારુ ભોજન સાથે લઇને આવ્યો છું.
મંદિરોના શહેર તરીખે ઓળખાતા વારાણસીમાં એક મોટા મેદાન બૂથ સ્તરના હજારો બેજેપી કાર્યકર્તાઓને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓ સાથે બેઠીને ભોજન કર્યું હતું. પ્રધાનમંત્રીની તસ્વીર માઇક્રો બ્લોગીંગ વેસાઇટ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવી હતી. લખ્યું હતું કે, “આવી બરાબરી ફક્ત બીજેપીમાં જ શક્ય છે.”