Death/ લોકપ્રિય મરાઠી અભિનેતા પ્રદીપ પટવર્ધનનું નિધન, 52 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મરાઠી અભિનેતા પ્રદીપ પટવર્ધનનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ પ્રદીપ પટવર્ધનનું આજે સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.

Entertainment
Marathi

મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત મરાઠી અભિનેતા પ્રદીપ પટવર્ધનનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ પ્રદીપ પટવર્ધનનું આજે સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. ઓલ ઈન્ડિયા રેડિયોએ ટ્વિટર પર અભિનેતાના મૃત્યુની માહિતી શેર કરી છે. અભિનેતાએ 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

લોકપ્રિય મરાઠી કલાકારનું નિધન

પ્રદીપ પટવર્ધનનું આજે સવારે મુંબઈના ગિરગામ ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું છે. અભિનેતાના મૃત્યુના સમાચારથી સમગ્ર મરાઠી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર આ વરિષ્ઠ અભિનેતાને દરેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પ્રદીપ પટવર્ધનને ‘મોરુચી માવશી’ નાટકથી ઓળખ મળી

પ્રદીપ પટવર્ધને ઘણા મરાઠી નાટકો, ફિલ્મો અને સિરિયલોમાં ભૂમિકાઓ ભજવી છે. તેમનું સ્ટેજ નાટક ‘મોરુચી માવશી’ ઘણું લોકપ્રિય રહ્યું છે. આ નાટકએ અભિનેતાને મનોરંજનમાં એક અલગ ઓળખ બતાવી હતી.

જણાવી દઈએ કે પ્રદીપ પટવર્ધન મરાઠી બેલ્ટના મનોરંજન ઉદ્યોગમાં જાણીતું નામ હતું. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોની વચ્ચે એક સ્થાન બનાવ્યું હતું. અભિનેતાના આકસ્મિક નિધનના સમાચારથી તેના પરિવારના સભ્યોને સહ- કલાકારો અને ચાહકોને આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો: જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત