પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ડોકટરોની અછત છે. જેને કારણે દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાની બૂમો ઉઠી છે. એક તરફ વરસાદી પાણી ભરાવાને કારણે અને દૂષિત પાણી પીવાને કારણે પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના કારણે દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં માત્ર ચારથી પાંચ જ ડોકટરોનાં સહારે આખી હોસ્પિટલ ચાલી રહી છે. દિવસ દરમિયાન 1 હજાર દર્દીઓ જનરલ ઓપીડીમાં સારવાર લેવા માટે આવતા હોય છે. તેવામાં અહી આવેલા દર્દીઓને ડોકટરોની અછતનાં કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.