Gujarat News/ યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દીપાવલીના સંભવિત સમાવેશને પગલે ભાવનગરમાં “ઇન્ટેન્જિબલ દીપાવલી” ઉજવણી

દીપાવલીના અપેક્ષિત સમાવેશની યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ 33 જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ

Gujarat
દીપાવલીના યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં અપેક્ષિત સમાવેશ

Gujarat News : ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને ભવ્ય પર્વ, ‘દીપાવલી’ને યુનેસ્કો દ્વારા તેની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (Intangible Cultural Heritage – ICH)ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવે છે.

દીપાવલીના યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં અપેક્ષિત સમાવેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂપ જ આજે વિશ્વફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.

દીપાવલીના અપેક્ષિત સમાવેશની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અને યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજયના 33 જિલ્લાઓમાં જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ હતી.

આ ઉજવણીનો હેતુ વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરવાનો તેમજ આ ગૌરવ શાળી ક્ષણને સમગ્ર રાજ્યમાં ઉત્સાહપૂર્વક આવકારવાનો છે.

આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિના અનુસંધાને, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારની સૂચના અનુસાર, તા. 10 ડિસેમ્બર, 2025ના રોજ રાજ્યના મહત્વના ઐતિહાસિક સ્મારકો તથા સાંસ્કૃતિક સ્થળોએ વિશેષ દીપ પ્રજ્વલન, રોશની સજાવટ અને રંગોળી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ માં જિલ્લા વહીવટી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિ હાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળો જેવા કે, અડાલજની વાવ, દાંડી કુટિર, એકતા નગર, વડોદરા મ્યુઝીયમ, જામનગર ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.

દીપાવલીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેયને ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’ લોથલ ખાતે સાકાર કરાશે…

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના વઢવાણ શહેરની હેરિટેજ સિટી તરીકે ઓળખ ઊભી કરાશે

આ પણ વાંચો:લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે મેરિટાઇમ હેરિટેજનું ગ્લોબલ હબ બનશે”: સર્બાનંદ સોનોવાલ