Baba Ramdev/ કેન્દ્રીયમંત્રી ડો.હર્ષવર્ધન અને નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં બાબા રામદેવે લોન્ચ કરી કોરોનાની નવી દવા

સમગ્ર કોરોનાકાળ દરમિયાન લોકોને યોગ અને વિવિધ પ્રાચીન ઔષધીઓ અંગેનું માર્ગદર્શન આપતા બાબા રામદેવ આખું વર્ષ લોકોને ટેલિવિઝનમાં જોવા મળ્યા છે. હવે તેઓ એ લોકોની સુખાકારી માટે કોરોના માંથી મુક્તિ

India

સમગ્ર કોરોનાકાળ દરમિયાન લોકોને યોગ અને વિવિધ પ્રાચીન ઔષધીઓ અંગેનું માર્ગદર્શન આપતા બાબા રામદેવ આખું વર્ષ લોકોને ટેલિવિઝનમાં જોવા મળ્યા છે. હવે તેઓ એ લોકોની સુખાકારી માટે કોરોના માંથી મુક્તિ અપાવે તેવી નવી દવા લોન્ચ કરી છે.પતંજલિનો દાવો છે કે નવી દવા પર તથ્યો આધારિત છે. આ દવા લોન્ચ કરતા સમયે સ્ટેજ પર કેન્દ્રિય મંત્રી ડો. હર્ષવર્ધન અને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.આ દરમિયાન બાબા રામદેવે કહ્યું, હેલ્થના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર અને ગ્લોબલ લીડર બની રહ્યું છે. યોગ અને આયુર્વેદને આપણે વૈજ્ઞાનિક પ્રામાણિકતા સાથે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પતંજલીએ ઘણા રિસર્ચ પેપર અત્યાર સુધીમાં પબ્લિસ કર્યા છે. આપણે યોગ ક્રિયાઓને વૈજ્ઞાનિક તથ્યોની સાથે દુનિયાની સામે રાખ્યું છે.

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 21મી અને 28મી એ મતદાનના દિવસે જાહેરરજા

Rajkot / મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મારુતીયજ્ઞનું આયોજન

આ દવા અંગે લોકોના મન એનું સમાધાન કરતાબાબા રામદેવે કહ્યું, જ્યારે અને કોરોલીન દ્વારા લાખો લોકોને જીવનદાન આપવાનું કાર્ય કર્યું ત્યારે ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, કેટલાક લોકોના મનમાં એવુ રહે છે કે રિસર્ચ તો માત્ર વિદેશમાં જ થાય છે. ખાસ કરીને આયુર્વેદના રિસર્ચને લઈને લોકોના મનમાં ઘણી શંકાઓ રહે છે. પરંતુ હવે અમે લોકોની બધી શંકાઓ દૂર કરી છે. કોરોલિનથી લઈને અમે ઘણી વિવિધ બિમારીઓ ઉપર રિચર્સ કર્યું છે.

Image result for image of baba ramdev launches corona teblet

 

PUNJAB / ખેડૂત આંદોલન કોંગ્રેસને ફળ્યું, ભાજપને નડ્યું

આ ઉપરાંતબાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ ઈન્સ્ટિટ્યૂટની આ દવા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા સર્ટિફાઈડ છે. દાવો છે કે WHOએ તેને GMP એટલે કે ‘ગૂડ મેન્યૂફેક્ચરિંગ પ્રેક્ટિસ’ નું સર્ટિફિકેટ આપ્યું છે. રામદેવે કહ્યું કે, આ દવા એવિડેંસ બેસ્ડ છે. રામદેવા આ પ્રસંગે એક રિસર્ચ બૂક પણ લોન્ચ કરી હતી. તેમણે કહ્યું કે, કોરોનિલના સંદર્ભમાં નવ રિસર્ચ પેપર દુનિયાના સૌથી પ્રભાવશાળી રિસર્ચ જર્નલ્સમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. 16 રિસર્ચ પેપર પાઈપલાઈનમાં છે.તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, પતંજલિના સંશોધનથી લોકોને ફાયદો તો થશે જ પરંતુ વૈજ્ઞાનિકરૂપથી આ કામ કરવા માટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનો ધન્યવાદ કરૂ છુ. જેહવે વૈજ્ઞાનિક આધાર લઈને ફરીથી લોકોની વચ્ચે આવ્યા છે. તો નિશ્ચિત પણે લોકોનો વિશ્વાસ વધુ વધશે.આ પહેલા પતંજલિએ 23 જૂન 2020 કોરોના માટે કોરોનિલ લોન્ચ કરી હતી, જેમા 7 દિવસમાં કોરોનાને માત આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે દવા લોન્ચ થતા જ વિવાદમાં આવી ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…