સરકારી ટેલિકોમ કંપની BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે રૂ. 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત બે નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌપ્રથમ, BSNL ને પુનઃજીવિત કરવા માટે પેકેજ જારી કરવામાં આવશે. આ સિવાય તે 29,616 ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે કામ કરવામાં આવશે, જ્યાં આ સુવિધા હજુ સુધી પહોંચી નથી. આ માટે 26,316 કરોડ રૂપિયાનું સેચ્યુરેશન પેકેજ પણ નક્કી કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર આ વચન આપ્યું હતું.
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં BSNL અને BBNLના મર્જરને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આનાથી બંને કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને કામ કરવા માટે વધુ સારી સિનર્જી પણ બનશે. આઈટી મંત્રીએ કહ્યું કે, દેશભરમાં મોબાઈલ કનેક્ટિવિટી વધારવા માટે 19,722 ટાવર લગાવવામાં આવશે. આવા તમામ ગામોમાં 4G કવરેજ આપવામાં આવશે, જેમાં હાલમાં મોબાઈલ કનેક્ટિવિટીનો અભાવ છે. તેમણે કહ્યું કે સરકાર દેશના દરેક ભાગમાં મોબાઈલ કનેક્ટિવિટી લાવવા માટે પ્રતિબદ્ધ છે.
Union Cabinet approves project for saturation of 4G mobile services in all uncovered villages of the country through Universal Service Obligation Fund, at an estimated cost of Rs 26,316 Crores: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/CMtf5fnow5
— ANI (@ANI) July 27, 2022
આ પણ વાંચો:નોઈડામાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યો, સેમ્પલ તપાસ માટે મોકલાયા
