વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 25.86 કરોડ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 51.6 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.44 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ 258,695,154, મૃત્યુઆંક 5,165,134 છે અને રસીકરણની કુલ સંખ્યા 7,448,434,896 છે.
આ પણ વાંચો – Covid-19 / યુરોપનાં દેશોને WHO એ આપી ચેતવણી, કહ્યુ- કોરોનાને કારણે 7 લાખથી વધુ લોકોનાં થઈ શકે છે મોત
દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફરી એકવાર દેશમાં 10,000 થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 9,283 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 10,949 લોકો સ્વસ્થ થયા છે. આના કારણે સક્રિય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને હવે આ આંકડો ઘટીને માત્ર 1,11,481 પર આવી ગયો છે. આ આંકડો છેલ્લા 537 દિવસમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછો છે. આટલું જ નહીં, રિકવરી રેટ પણ વધીને 98.33 ટકા થઈ ગયો છે, જે ગયા વર્ષનાં માર્ચ પછીનું સૌથી ઊંચું સ્તર છે. દરમિયાન, કોરોના રસીઓમાં પણ તેજી જોવા મળી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 1,18,44,23,573 થી વધુ કોરોના રસી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આ આંકડો 120 કરોડને પાર થવાની આશા છે.
#COVID19 | India reports 9,283 new cases, 10,949 recoveries & 437 deaths in the last 24 hours, as per Health Ministry.
Active cases stand at 1,11,481 – lowest in 537 days pic.twitter.com/r08WkMZQJj
— ANI (@ANI) November 24, 2021
આ પણ વાંચો – ગમખ્વાર અકસ્માત / ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત
દેશમાં સંક્રમિતોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરનાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબરનાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મે મહિનાનાં રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.
