Not Set/ PM મોદી આજે એનસીસી રેલી તેમજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને કરશે સંબોધિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન મોદી જ્યારે એનસીસીની રેલીને દિલ્હીના કારિયપ્પા ગ્રાઉન્ડમાં સંબોધન કરશે, ત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડવોસ સંવાદને

Top Stories India
1

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન મોદી જ્યારે એનસીસીની રેલીને દિલ્હીના કારિયપ્પા ગ્રાઉન્ડમાં સંબોધન કરશે, ત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને વર્ચુઅલ રીતે સંબોધન કરવામાં આવશે. એનસીસીની રેલીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ત્રણેય સેનાના વડાઓ ઉપસ્થિત રહેશે. વડા પ્રધાનની કચેરીમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ દિલ્હીના કારિયપ્પા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સની રેલીને સંબોધન કરશે.” આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બિપિન રાવત અને ત્રણેય સશસ્ત્ર દળના વડા પણ ઉપસ્થિત રહેશે.

red fort / હિંસામાં થયેલી નુકશાનીનું મૂલ્યાંકન કરવા લાલ કિલ્લો 31મી સુધી મુલાકાતીઓ માટે રહેશે બંધ

આ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઓફ ઓનર અને એનસીસી પક્ષોના માર્ચ પોસ્ટનું નિરીક્ષણ કરશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોશે. એનસીસીનું લક્ષ્ય યુવા વર્ગમાં ચરિત્ર નિર્માણ, શિસ્ત, ધર્મનિરપેક્ષ વલણ, હિંમતની ભાવના અને સ્વયંસેવીના આદર્શો વિકસિત કરવાનું છે.

Politics / ટ્રેક્ટર રેલી હિંસા મામલે કોંગ્રેસે અમિત શાહને તો ભાજપે રાહુલને ગણાવ્યા જવાબદાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. આ કાર્યક્રમમાં વિશ્વભરના 400 થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેશે, જેમાં વડા પ્રધાન ચોથી ઔદ્યોગિક ક્રાંતિ – માનવતાની સુધારણા માટે ટેકનોલોજીનો ઉપયોગ અંગેના સત્રને સંબોધન કરશે. વડા પ્રધાન આ કાર્યક્રમ દરમિયાન સીઈઓ સાથે વાતચીત પણ કરશે. માનવામાં આવે છે કે દાવોસ સંવાદ એજન્ડા, કોવિડ પછીના વિશ્વમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એક મહત્વપૂર્ણ પહેલની શરૂઆતનું ચિહ્ન છે.

Jamnagar / ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો : ફ્રાંસ થી સીધું જામનગર એરબેઝ પર 3 રાફેલ લડાકુ વિમાનનું લેન્ડિંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…