જમ્મૂ કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી છે. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યથી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે કહ્યું હતું કે, તેમની ઉત્કૃષ્ટ સેવાને દેશ હંમેશા યાદ કરશે.
14 ફેબ્રુઆરી 2019એ જૈશ-ઐ-મોહમ્મદના એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી ગાડી લઈને બસને ટક્કર મારી દીધી હતી. આ ઘાતક હુમલામાં 40 બહાદુર CRPF જવાન શહીદ થયા હતા. ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાની ત્રીજી વરસી પર CRPFના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી
આ પણ વાંચો:પુલવામા હુમલાની વરસી: નીતિન ગડકરીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું દેશ તેમના બલિદાનને ભૂલશે નહીં…
I pay homage to all those martyred in Pulwama on this day in 2019 and recall their outstanding service to our nation. Their bravery and supreme sacrifice motivates every Indian to work towards a strong and prosperous country.
— Narendra Modi (@narendramodi) February 14, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીમાં ભારતના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમને ટ્વીટ કરી કહ્યું કે, હું પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ દેશ માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરૂ છું, તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને એક મજબૂત અને સમૃદ્ધ દેશની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરે છે.
300 કિલો વિસ્ફોટકો ભરેલી કાર દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો
વાસ્તવમાં, આતંકવાદીઓએ પુલવામામાં નેશનલ હાઈવે પર જઈ રહેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોના કાફલાને ગુપ્ત રીતે નિશાન બનાવ્યો હતો. 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ બપોરે, 300 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહને CRPFના વાહનને ટક્કર મારી અને કાફલાને ઉડાવી દીધો. આતંકવાદી હુમલા બાદ સૈનિકોને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ મોટી સંખ્યામાં સૈનિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની થોડી જ મિનિટોમાં સમગ્ર વિશ્વમાં તેની નિંદા થઈ હતી. મોટાભાગના દેશોએ ભારતના બહાદુર સૈનિકો પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આ ઘટનાને અંજામ આપનાર હુમલાખોરનું નામ આદિલ અહેમદ ડાર હતું. આ ઉપરાંત સજ્જાદ ભટ્ટ, મુદાસિર અહેમદ ખાન વગેરે જેવા આતંકવાદીઓ પણ હુમલામાં સામેલ હતા, જેને સેનાએ પાછળથી ઠાર માર્યા હતા. આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેણે સાડા 13 હજારથી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
CRPFએ કહ્યું- ન તો માફ કરશે અને ન ભૂલશે
પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં વાતાવરણ અસ્વસ્થ હતું. ભારતના બહાદુર સપૂતોને ગુમાવ્યા પછી, લગભગ દરેક જણ શક્ય તેટલી વહેલી તકે હુમલા પાછળ રહેલા આતંકવાદીઓ સામે બદલો લેવા માંગતા હતા. CRPF એ પણ કહ્યું હતું કે તે હુમલા માટે જવાબદાર લોકોને ન તો માફ કરશે અને ન તો ભૂલી જશે. CRPFએ ટ્વીટ કર્યું, “ન તો માફ કરશો અને ન ભૂલશે.” આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહીદ સૈનિકોના પાર્થિવ દેહને એક વિશેષ એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા પાલમ એરફોર્સ વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તત્કાલીન ગૃહ પ્રધાન અને વર્તમાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા મોટા પ્રધાનો હાજર હતા. શહીદોના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતદેહની પરિક્રમા કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પણ વાંચો:યમુના એક્સપ્રેસ વે પરથી પસાર થતા સાવચેત રહો, આજથી તમામ લેન પર FASTag ફરજિયાત બની ગયું છે…
આ પણ વાંચો:હિજાબ વિવાદ પર રાકેશ ટિકૈતની દેશવાસીઓને સલાહ, ગણતરી પર વાત કરો નહીંતર દેશ વેચાઈ જશે
