VISIT/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

Top Stories
a 316 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

જણાવીએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું ભવ્ય ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાનું ઉદઘાટન કરશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી અહીં રમાશે. બંને ટીમો ગયા અઠવાડિયામાં જ અહીં પહોંચી છે.

રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા રાજભવન પહોચ્યા હતા. રાજભવનથી સાંજે પાંચ વાગ્યે મહાત્મા મંદિર પરિસરમાં પ્રદર્શન કક્ષમાં સેન્ટ્રલ યૂનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે બાદ રાષ્ટ્રપતિ પરત રાજભવન ફરશે અને રાત્રિ રોકાણ કરશે.

રાષ્ટ્રપતિના આગમનના પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 2 SP, 6 DYSP, 15 PI સહિત 400 પોલીસ કર્મચારી અધિકારીઓ ગાંધીનગર મહાત્મા મંદિર અને રાજ ભવન વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવશે. સેન્ટ્રલ યૂનિવર્સિટીના પદવીદાન સમારંભની તૈયારીઓ કરવામાં આવી છે. સેન્ટ્રલ યૂનિવર્સિટીના 244 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે.